રાજકોટઃ ટંકારા નજીક રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. મોરબી-રાજકોટ હાઇ-વે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટંકારા નજીક રોડ પર એસ.ટી બસ કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત થતા એસ.ટી બસ પલટી ગઇ હતી. જેને લઇ 2 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
મહત્વનું છે કે આ ત્રિપલ અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. બે લોકોના મોત બસ પલટી જવાને લઇ થયા હતા. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.