મોરબીમાં ઝૂલતા નવા નકોર બ્રિજે નિર્દોષોના જીવ લીધા છે હજી ઉદ્ઘાટન કરીને બ્રિજને ખુલ્લો મુક્યોને બ્રિજ પાણીમાં તૂટી પડ્યો હતો. તેવામાં નવસારીના પૂર્ણા નદી પરના બ્રિજની રેલિંગ જર્જરિત થતા સવાલો ઊભા થયા છે.
નવસારીના પૂર્ણા નદી પરના બ્રિજની રેલિંગ થઇ જર્જરિત
નવસારી અને સુરતને જોડતો વીરાવળ ગામ નજીક આવેલો પૂર્ણા નદીનો બ્રિજ જે વર્ષ 1978 માં લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગાયકવાડ સમયમાં બનાવવામાં આવેલો આ બ્રિજ હાલમાં પણ કાર્યરત છે અને આ બ્રિજ ઉપરથી અંદાજિત 50,000 થી વધુ વાહનો રોજ અવરજવર કરે છે પરંતુ સમય જતા દેખરેખના અભાવના કારણે હવે આ બ્રિજ પણ જોખમી સાબિત થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. પુણા નદી પર બનાવવામાં આવેલો આ બ્રિજ ની રેલિંગો અઢી ફૂટ ઊંચી છે જે જર્જરીત થઈ ચૂકી છે. અમુક ભાગમાં અકસ્માત થયા બાદ રેલિંગનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો છે. પૂણા નદીના જડસરમાં જ્યારે પૂરના સમયે વધારો થતો હોય છે અને નદીની સપાટી 27 ફૂટ વતાવી જતી હોય છે ત્યારે મોટાભાગના પીલરો પણ પાણીમાં થતા હોય છે, પુલના પિલ્લર પાણી પચવાના લીધે આ પિલ્લર ગુણવત્તા પણ સવાલોના ઘેરામાં છે.
રાજા ગાયકવાડના સમયમાં કરવામાં આવ્યું હતું પુલનું નિર્માણ
મોરબીમાં બ્રિજ દુર્ઘટનાને લઇને દેશભરમાં હાહાકર મચી ગયો છે. ત્યારે નવસારીના પૂર્ણા નદી પરના બ્રિજની રેલિંગ પણ જર્જરિત થતાં અનેક સવાલો ઊભા થયા છે. પુલના અમૂક ભાગમાં રેલિંગનો ભાગ તૂટી ગયો હોવાથી દુર્ઘટનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જર્જરિત રેલિંગને લઇ પૂર્ણા નદીમાંથી પસાર વાહનચાલકોમાં ભયનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજા ગાયકવાડના સમયમાં આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
1978માં બનેલો બ્રિજ જુએ છે સમારકામની રાહ
રાજાશાહી વખતના આ બ્રિજની 1978 બાદ સારસંભાળ રાખવા અંગેની કાર્યવાહી કરવામાં ન આવતા હાલ તે ખખડધજ બન્યો છે. જર્જરિત રેલિંગ અંગે અનેક વખત મૌખિત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક રજૂઆત બાદ પણ પુલ રિપેરિંગનું કામ હાથ ન ધરાતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
મોરબીની ઘટના બાદ ભાવનગર તંત્ર એલર્ટ
મોરબીની દુર્ઘટના બાદ ભાવનગરનું તંત્ર પણ એલર્ટ થયું છે અને 2012માં બનાવવામાં આવેલા સ્ટેઇડ પુલ ચેકિંગ હાથ ધર્યું હતું. કલેક્ટર સાથે માર્ગ અને મકાન વિભાગ સહિતના અધિકારીઓએ મુલાકાત સ્ટેઈડ પુલની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, 2012માં લોકાર્પણ બાદ આ પુલ થોડા દિવસોમાં જ બેસી ગયો હતો. જે બાદ પુલનો પિલયર ચણીને સપોર્ટ આપવામા આવ્યો હતો. વધુમાં કચ્છનો ઐૈતિહાસિક પુલ બંધ કરાયો છે. માંડવીની રૂકમાવતી નદી પર આવેલો 150 વર્ષ જૂનો પુલ બંધ કરવામાં આવ્યો છે. તેજ રીતે મોરબીની ઘટના બાદ વડોદરાનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે કમાટીબાગના કેબલ સ્ટે બ્રિજની મોનિટરિંગ કરવા માટે સૂચના આપી છે. આમ નવસારી તંત્ર પણ જાગે અને પૂલને રિપેરિંગ કરે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.