વાંકાનેરના ધારાસભ્ય સહિત 5 લોકો એટ્રોસિટીના ગુનામાં નિર્દોષ જાહેર, 2012માં તત્કાલીન TDO કે એસ ભાગોરાએ નોંધાવી હતી ફરિયાદ
વાંકાનેરના ધારાસભ્ય સહિત 5 લોકો નિર્દોષ
એટ્રોસિટીના ગુનામાં નિર્દોષ જાહેર કરાયા
2012માં તત્કાલીન TDOએ નોંધાવી હતી ફરિયાદ
મોરબીના વાંકાનેરના ધારાસભ્ય સહિત પાંચ લોકો નિર્દોષ જાહેર કરાયા. એટ્રોસિટી એક્ટના ગુનામાં વાંકાનેર ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા સહિત પાંચ લોકોને નિર્દોષ જાહેર કરાયા છે. વર્ષ 2012 પીવાના પાણી મુદ્દે તાલુકા પંચાયતની ઓફિસમાં ટોળા સાથે રજૂઆત ગયા હતા તે દરમિયાન સમગ્ર ઘટના સર્જાઈ હતી. તત્કાલિન તાલુકા વિકાસ અધિકારીએ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર મુદ્દો શું છે
વાંકાનેરના તીથવા ગામે પાણીના પ્રશ્ન મુદ્દે વર્ષ 2012માં વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવિદ પીરજાદા, યુનુસ શેરસીયા, તેમજ મોહમ્મદ શેખ તેમજ જલાલ પટેલ તેમજ અબ્દુલભાઈ ચૌધરી સહિતના પાંચ લોકો વાંકાનેર તાલુકા પંચાયતની કચેરીમાં ટોળા સાથે રજૂઆત કરવા ગયા હતા. જે બાબતે અને તત્કાલિન તાલુકા વિકાસ અધિકારી કે એસ ભાગોરા દ્વારા આ મામલે ધારાસભ્ય સહિતના પાંચ લોકો વિરુદ્ધ જાતિ પ્રત્યે અપમાનિત કરવા અંગે એટ્રોસિટી એક્ટ મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મોરબી કોર્ટે આપ્યો ચુકાદો
એટ્રોસિટીના કેસની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જે બાબતે મોરબી અદાલતમાં સુનાવણી થઈ હતી. મળતી માહિતી મુજબ સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થતા પાંચેય લોકોને નિર્દોષ જાહેર કરાયા હતા. સમગ્ર કેસમાં કચેરીના સરકારી કર્મચારી સાક્ષીઓ બન્યા હતા. ફરિયાદી સિવાય નજરે જોનારા સરકારી કર્મચારી સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થયા હતા.