મોરબી નાની સિંચાઇ કૌભાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ સરકારને સવાલ કર્યા છે. MLAએ સરકાર અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
સરકાર પોતાના મળતિયાને બચાવી રહી હોવાના આક્ષેપ કર્યા હતાં. તેમણે જણાવ્યુ હતું કે 4-4 ચાર્જ ધરાવનાર ઇજનેર કાનાણીએ કૌભાંડ આચર્યુ છે. જિલ્લા પોલીસવડા પુરાવા છતા કાર્યવાહી કરી રહ્યાં નથી.
પરશોતમ સાબરીયાની ધરપકડ કરી તો ઘનશ્યામ ગોહિલની ધરપકડ કેમ કરવામાં આવતી નથી. ઘનશ્યામ ગોહિલ અને વલ્લભભાઇને કેમ છાવરવામાં આવી રહ્યાં છે?
જેમના નામ ફરિયાદમાં છે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કેમ નહીં? શું સરકારે પરશોતમ સાબરીયાની ધરપકડથી સંતોષ માની લીધો છે? આ પ્રકારના સવાલો ધારાસભ્ય લલિતે ઉઠાવ્યા છે.
ઘનશ્યામ ગોહિલ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી છે. ઘનશ્યામ ગોહિલે સિંચાઇ અધિકારીને પત્ર લખ્યો હતો. સિંચાઇ અધિકારીને પત્રમાં કામ સારા થયાનો ઉલ્લેખ કર્યો હતો.