વર્ષ 2017માં મંજૂરી વિના સભા યોજવાને લઇને કોંગ્રેસના નેતાઓ સામે ટંકારા કોર્ટમાં કેસ ચલાવામાં આવી રહ્યો છે. જેમાં હાઇકોર્ટના પગલે ટંકારા કોર્ટમાં ડે ટૂ ડે કેસ ચલાવા અંગે આદેશ આપવામાં આવ્યો હતો. જો કે સરકાર દ્વારા કોંગ્રેસના નેતાઓ સામે પરત ખેંચવામાં આવ્યાં હોય મોટી રાહત મળી છે.
કોંગ્રેસના નેતાઓ સામેના કેસ પરત ખેંચાયા
લલિત વસોયા, લલિત કગથરા સામેના કેસ પાછા ખેંચાયા
મોરબી વિધાનસભા પેટાચૂંટણી પહેલા પાટીદાર નેતાઓને મોટી રાહત મળી છે. પરવાનગી વિના સબા યોજવાના કેસમાં કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. મોરબી કોર્ટે હાર્દિક પટેલ, લલિત વસોયા અને લલિત કગથરાને સમન્સ પાઠવ્યું હતું.
જો કે વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસના આ નેતાઓ સામે કેસ પરત ખેંચી લેવામાં આવ્યાં છે. જેને લઇને કોર્ટમાં વકીલે કેસ પાછા ખેંચવાના દસ્તાવેજો રજૂ કર્યાં છે. મોરબીમાં 2017માં પાટીદારો પર કેસ થયા હતા.
ઉલ્લેખનીય છે કે મોરબી હાઈકોર્ટની સુચનાને પગલે તેમની સામે ટંકારા કોર્ટમાં ડે ટુ ડે કેસ ચલાવા અંગે હાઇકોર્ટે આદેશ કર્યો હતો. જેમાં વર્ષ 2017માં મંજૂરી વિના સભા યોજવાના કેસમાં 2 MLAને પણ કોર્ટે તેડું મોકલ્યું હતું.
લલિત વસોયા, લલિત કગથરા, હાર્દિક પટેલ, દિલીપ સાબવા, ગીતા પટેલ, રેશમા પટેલ, નિલેશ એરવાડિયા સહિતના કાર્યકરોને કોર્ટનું તેડુ આવ્યું હતું. આ તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ કેસમાં 34 લોકો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ હતી.