મોરબી બ્રિજની દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી બ્રિજ કેસમાં સરકાર સામે પીડિત પરિવારોની નારાજગી વ્યક્ત કરી છે.
મોરબી બ્રિજની દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી
પીડિત પરિવારોએ હાઈકોર્ટમાં સોંગદનામું દાખલ કરી નારાજગી કરી વ્યક્ત
એફિડેવિટ મુજબ રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની પોલિસી છે: ચીફ જસ્ટિસ
મોરબી બ્રિજની દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી બ્રિજ કેસમાં સરકાર સામે પીડિત પરિવારોની નારાજગી વ્યક્ત કરી છે. સરકાર દ્વારા પીડીત પરિવારોને યોગ્ય વળતર ન આપતા પીડિત પરિવારોએ નારાજગી વ્યક્ત કરી છે. પીડીત પરિવારોએ હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરી નારાજગી વ્યક્ત કરી છે. 1990 ના દિલ્લીના ઉપહાર સિનેમાં અગ્નિકાંડમાં પીડિતોને કરોડોનું વળતર અપાયું હતું. જ્યારે અત્યારે સરકારે અમને માત્ર રૂપિયા 10 લાખ આપ્યા છે તેવું પીડિતોનું કહેવું છે. પીડીતોનું કહેવું છે કે 1990 માં કરોડોનું વળતર અને હાલમાં માત્ર રૂપિયા 10 લાખનું વળતર કેમ? બ્રિજ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને વેધક સવાલ કર્યા
મોરબી પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટે પોલીસીને લઈને સરકારને સવાલ કર્યા હતા. ત્યારે ચીફ જસ્ટીસે જણાવ્યું હતું કે એફિડેવિટ મુજબ રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની પોલીસ છે. તમારા એફિડેવિટ મુજબ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની કોઈ પોલિસી નથી. સિવિક બોડીવનું પોતાનું મિકેનિઝમ છે. જે બાબતે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે અમે એક સર્વગ્રાહી પોલિસી લાવી રહ્યા છીએ. જે જલ્દી જ જાહેર થશે. ત્યારે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાશે. બ્રિજ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને વેધક સવાલ કર્યા હતા. જેમાં ગુજરાત હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે શું જવાબદાર અધિકારીઓ હોશમાં હતા કે નહી? મોરબી બ્રિજની ચકાસણી કરનાર કોણ હતું? ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે બ્રિજની ચકાસણી કરનાર કોણ હતા એ ખબર નથી. તેમજ રાજ્યના તમામ બ્રિજોની વિગત સરકાર પાસે કોર્ટે માંગી છે. રાજ્ય સરકારે બ્રિજોની કામગીરીનો રિપોર્ટ પણ સોંપ્યો છે. વધુમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે તમામ બ્રિજની સુરક્ષા સરકારની જવાબદારી છે. જે બ્રિજ ખરાબ હાલત હોય તેની કામગીરી ચાલુ હોવાની સરકારની કોર્ટમાં રજૂઆત હતી. તેમજ સરકારે વધુમાં જણાવ્યું હતું કે અતિશય ખરાબ હોય તેવા બ્રિજોને બંધ રાખવાનો અગાઉથી નિર્ણય કર્યો છે.
સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી વિશેષ તપાસ સમિતિનો રિપોર્ટ સામે આવ્યો
મોરબી પુલ દુર્ઘટના કેસ મામલે મોટો વળાંક આવ્યો છે. સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી વિશેષ તપાસ સમિતિનો રિપોર્ટ સામે આવ્યો છે. એસઆઈટીની તપાસમાં પૂલ તૂટવાનો પ્રાથમિક કારણ સામે આવ્યો છે. ઓરેવા કંપની અને મોરબી નગર પાલિકા વચ્ચે થયેલા કરાર અંગે જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી જરૂરી હતી. આ કરારમાં ઓરેવા કંપની અને નગર પાલિકાના મુખ્ય અધિકારી તેમજ પ્રમુખ અને ઉપ પ્રમુખના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. સમગ્ર મામલે જનરલ બોર્ડની પૂર્વ સંમતી પણ માંગવામાં આવી ન હતી. અને કરાર બાદ પણ સંમતી બાબતે પણ કંઈ પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો. શુ આવ્યું રિપોર્ટમાં
મોરબી નગરપાલિકાના મુખ્ય અધિકારીએ સામાન્ય બોર્ડની પૂર્વ મંજૂરી વગર આ કરાર કરવો જોઈતો ન હતો. મોરબી પાલિકાના મુખ્ય અધિકારી તથા ઉપપ્રમુખ કરાર મુદ્દે કંઈ પણ ખાસ બાબતો ધ્યાનમાં રાખી નહી, તેમજ ટેકનીકલ બાબતોના જાણકારોના સલાહ સૂચન વગર સમારકામ કરી દીધું હતું એટલું જ નહી પરંતું સમારકામ કાર્ય શરૂ કર્યું તેના પહેલા મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરની પણ તપાસ કરવામાં આવી ન હતી. અકસ્માતમાં બાકીના 27 વાયર તૂટી ગયા હતા
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખે સમાધાનના મુદ્દાને યોગ્ય રીતે લીધો ન હોવાનું પણ એસઆઈટીના રિપોર્ટમાં સામે આવ્યું છે. સક્ષમ ટેકનિકલ નિષ્ણાત અને પરામર્શ વિના સમારકામ કાર્ય કરાવ્યું હતું. સમારકામ કાર્ય શરૂ કરતા પહેલા મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરની તપાસ કરવામાં આવી ન હતી. 49 માંથી 22 કેબલ પહેલેથી જ તોડી નાખવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે આ કેબલ બ્રિજ તૂટી પડતા પહેલા જ કેટલાક તાર કપાઈ ગયા હતા. જ્યારે અકસ્માતમાં બાકીના 27 વાયર તૂટી ગયા હતા. નવા સસ્પેન્ડર સાથે જૂનું સસ્પેન્ડર જોડવામાં આવ્યું હતું. બ્રિજ ખુલ્લો મુકાયાના 5 દિવસમાં ધરાશાયી થયો હતો
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો.