મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના મામલે CM ભૂપેન્દ્ર પટેલે તંત્રને કામગીરી અંગે આદેશ જારી કર્યા છે.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના
CM ભૂપેન્દ્ર પટેલે તંત્રને તાત્કાલિક આપ્યા મોટા આદેશ
ગૃહ રાજ્યમંત્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું
મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં અનેક લોકો પાણીમાં પડ્યા હોવાથી સ્થાનિક તંત્ર અને તરવૈયાઓની મદદથી અસરગ્રસ્તોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મોરબીની 10, રાજકોટની 8 એમ્બ્યુલન્સને મોરબી ખાતે મોકલી દેવામાં આવી છે. વધુમાં CM ભૂપેન્દ્ર પટેલે તંત્રને તાત્કાલિક મોટા આદેશ આપ્યા છે. ગાંધીનગરથી NDRFની 2 ટીમ મોરબી રવાના થઇ છે. એટલુ જ નહિ મોરબીની દુર્ઘટનાને પગલે પ્રધાનમંત્રી સાથેના આગળના કાર્યક્રમોને ટૂંકાવીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર રવાના થયા છે. તથા ગૃહ રાજ્યમંત્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.
મોરબીની દુર્ઘટનાને પગલે માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથેના આગળના કાર્યક્રમોને ટૂંકાવીને ગાંધીનગર પહોંચી રહ્યો છું. ગૃહ રાજ્યમંત્રીશ્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.
ઓરેવા ટ્રસ્ટને અપાઈ છે જવાબદારી
મોરબીની મચ્છુ નદી પર રજવાડાના સમયમાં પ્રજાવત્સલ રાજા સર વાઘજી ઠાકોર દ્વારા લાકડા અને વાયરના આધારે ૨૩૩ મીટર લાંબો અને ૪.૬ ફૂટ પહોળો ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો જેનો ઉપયોગ પહેલાના સમયમાં રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોપવામાં આવી હતી. આ જુલતા પુલનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા જિંદાલ કંપનીનેઆ પુલનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું અને પાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટને આગામી ૧૫ વર્ષ સુધી આ પુલની મેન્ટેનન્સ અને રીપેરીંગની સમગ્ર જવાબદારી સોંપમાં આવી હતી.