મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની છે, ત્યારે એક જ પરિવારની 6 દીકરીઓના મોત થતા પરિવારનાં આંખે આસુ સુકાતા નથી.
મોરબીમાં હોનારતમાં મૃત્યુ મામલે લોકોમાં આક્રોશ
એક જ પરિવારની 6 દીકરીઓ આવી હતી દિવાળી વેકેશન કરવા
VTV ન્યુઝ પરિવાર પાસે પહોંચતા પરિવારનાં આંખે આસુડા સરી પડ્યા
મોરબીની કરુણ ઘટનાને લઇને અનેક પરવારોમાં અશ્રુ, આધાત અને આક્રોશ આસમાને છે. ત્યારે આ કરુણાંતિકામાં અનેક પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જેમા એક જ પરિવારની 6 દીકરીઓ દિવાળી વેકેશનને પગલે મોરબી ગઇ હતી. આથી પરિવારના 36 લોકો ઝૂલતા પુલ પર ફરવા ગયા હતા.આ વેળાએ ઝૂલતા પુલ તૂટવાની ઘટનામાં 6 દીકરીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગઇ હતી. આ વાવડ વાયુ વેગે વહેતા થતાં પરિવારજનોમાં અશ્રુનો દરિયો ઉભરાયો છે. VTV ન્યુઝ પરિવાર પાસે પહોંચતા પરિવારનાં ચોધાર આશુંએ રોઇ પડ્યો હતો.
ઝૂલતા પુલ તૂટતાં 6 દીકરીઓના મૃત્યુ
પુલ દુર્ઘટનામાં એક જ પરિવારના 30 લોકોના માંડ જીવ બચ્યા છે. જ્યારે 6 વ્યક્તિના મોત થતાં પરિવારનો માળો વિખાઇ ગયો છે. આ ઘટનાની કરુણતાએ હતી. કે મૃતક દીકરીની એક માસ બાદ જ સગાઈ હતી. જ્યારે નણંદ-ભાણેજ સહિત પરિવારની 6 દીકરીઓ મોતને ભેટી હતી. આ ઘટનાને લઇને મૃતકના પરિવારજનોએ ભારે હૈયે વેદના વ્યકત કરી હતી. તંત્ર સામે આક્રોશ વ્યક્તકર્યો હતો. પોતાના સ્વજનો ગુમાવનાર લોકોનું હૈયાફાટ રૂદન કરુણકંપારી છૂટાવી દે તેવું છે.
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની
મોરબીમાં પ્રશાસનની બેદરકારીના કારણે ઝૂલતો પુલ તૂટ્યો છે. આ હોનારતમાં મૃત્યુ મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પુલ તૂટતા જ લોકોએ પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની છે. દુર્ઘટનામાં કોઈ પિતા ગુમાવ્યા છે તો કોઈ પોતાનો દિકરો કે દિકરી ગુમાવી છે. જાણે કે તે પરિવાર માટે રવિવારની રજાનો દિવસ કોળો દિવસ સાબિત થયો છે. અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે ગયા હતા. જ્યાં સાંજના સમયે આચનક બ્રિજ તૂટી જતાં લોકો પાણીમાં ખાબક્યા હતા. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. પુલ તુટી પડતા અનેક પરિવારોએ પોતાના સભ્યો ગુમાવ્યા છે. અનેક માતા-પિતાઓએ પોતાના સંતાનો ગુમાવ્યા છે, તો કેટલાય બાળકો માતા-પિતાની છત્રછાયા ખોઇ બેસ્યા છે. આ હ્રદયકંપા ઘટનાથી સૌ કોઈ દુ:ખી છે.