મોરબી વિધાનસભા બેઠકના સમીકરણો બદલાઈ શકે; વર્તમાનમાં મોરબી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે
મોરબી વિધાનસભા બેઠકના સમીકરણો બદલાઈ શકે
2017માં મેરજા અને કાંતિલાલ અમૃતિયા વચ્ચે હતી ટક્કર
કાંતિલાલ અમૃતિયાનો 2017માં થયો હતો પરાજય
ગુજરાતની પાટીદાર પ્રભુત્વ ધરાવતી મોરબી વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. પરંતુ રાજકીય સૂત્રો કહે છે કે આ વખતના ચૂંટણી સમીકરણો કેટલાક કારણોસર બદલાઈ શકે છે, જેમાં તાજેતરની પુલ દુર્ઘટના પણ સામેલ છે. આ અકસ્માતમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજકીય નિષ્ણાતોએ જણાવ્યું છે કે ચૂંટણી મેદાનમાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP)ની દસ્તક મોરબીમાં છે જ્યા આપ કે કોંગ્રેસનો વિજય થઈ શકે છે. જ્યાં છેલ્લા ત્રણ વખત ચૂંટણીમાં જીતનો માર્જિન નાનો રહ્યો છે.
મોરબીની વિશેષતા
જાડેજા શાસકોની દીર્ઘદ્રષ્ટિને કારણે તત્કાલિન મોરબી રજવાડું હતું અને આઝાદી પહેલા સૌરાષ્ટ્ર વિસ્તારનું પેરિસ કહેવાતું હતું. આજે આ પ્રદેશ સિરામિક અને ઘડિયાળના ઉદ્યોગો માટે પ્રખ્યાત છે. જે દેશભરમાંથી આવતા પાંચ લાખથી વધુ લોકોને રોજગારી પણ આપે કરે છે. જોકે સ્થાનિકોનો દાવો છે કે ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક જામની સમસ્યા જેવા પ્રશ્નોને કારણે મોરબીમાં આર્થિક વિકાસ રુંધાયો હોય તેવું કહેવાય છે. વર્તમાનમાં મોરબી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે. મોરબી વિધાનસભા બેઠકમાં કચ્છ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. જેનું નેનૃત્વ ભાજપના સાંસદ વિનોદ ચાવડા કરે છે.
રસ્તાઓ, ટ્રાફિક મુખ્ય સમસ્યા
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ફ્લોર ટાઈલ્સના ચેરમેન વિનોદ ભાડજાના જણાવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક જામ અહીંના લોકો માટે મુખ્ય સમસ્યા છે. ઉદ્યોગપતિએ જણાવ્યું કે, મોરબી રૂ. 65 હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતું મુખ્ય સિરામિક કેન્દ્ર છે. ભાજપે ઘણું કામ કર્યું છે તેમ છતાં અમે શહેરમાં અને તેની આસપાસ લોકો ટ્રાફિક જામ, પાણી ભરાઈ જવું અને ખરાબ રસ્તાઓની સમસ્યાઓથી હાલાકી ભોગવી રહ્યાં છીએ.
કાંતિલાલ અમૃતિયાનો 2017માં થયો હતો પરાજય
તેમના જણાવ્યા અનુસાર મોરબીના લોકો નાખુશ છે. તેમણે દાવો કર્યો હતો કે, અમારા મુખ્ય પ્રશ્નો બે દાયકાથી વધુ સમયથી વણઉકેલાયેલા છે. મોરબીમાં છેલ્લા દાયકામાં કેટલીક રસપ્રદ રાજકીય ઘટનાઓ જોવા મળી છે, જેમાં હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર અનામત આંદોલન કારણે પાંચ વખત જીતેલા ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાર થઈ હતી. કાનાભાઈ તરીકે જાણીતા કાંતિલાલ અમૃતિયા 1995, 1998, 2002, 2007 અને 2012માં મોરબી વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. 2017માં પાટીદાર અનામત આંદોલનના મુખ્ય કેન્દ્રોમાંના એક, મોરબીમાં ભાજપ વિરોધી લહેરમાં કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ કાનાભાઈ 3,419 મતોના સામાન્ય માર્જિનથી હરાવ્યા હતા. 2012માં કાનાભાઈએ મેરજાને 2,760 વોટથી હરાવ્યા હતા. આ બંને પાટીદાર સમાજના જ છે.
મોરબીમાં 2.90 લાખ મતદારો
મોરબીમાં લગભગ 2.90 લાખ મતદારો છે. જેમાં 80 હજાર પાટીદાર, 35 હજાર મુસ્લિમ, 30 હજાર દલિત, 30 હજાર સથવારા સમાજના (અન્ય પછાત વર્ગ (ઓબીસી) કેટેગરીના), 12 હજાર આહીરો (ઓબીસી) અને 20 હજાર ઠાકોર સહિત આશરે 2.90 લાખ મતદારો છે. રાજકીય વિશ્લેષક અને સ્થાનિક ઉદ્યોગપતિ માનવા પ્રમાણે મતે પાટીદાર મતદારો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સમાન રીતે વહેંચાયેલા છે. જોકે, સત્તાધારી પક્ષને સાથે કોળી અને દલિત સમુદાયના મોટાભાગના લોકોનો ટેકો છે. તેમણે કહ્યું કે મુસ્લિમો પરંપરાગત રીતે કોંગ્રેસની સાથે છે પરંતુ AAP કોંગ્રેસની વોટબેંકને નુકસાન પહોંચાડી શકે છે.
મેરજા અને કાંતિલાલમાંથી કોઈ એકને મળી શકે ટિકિટ
તેમણે જણાવ્યું હતું કે, મંત્રી તરીકે મેરજાની કામગીરી સારી હતી અને ભાજપ નેતૃત્વ દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી પરંતુ જનતામાં અમૃતિયાની લોકપ્રિયતા ઘણી વધારે છે. જોકે, મેરજા અને અમૃતિયાને ટિકિટ મળવાની શક્યતા અનુક્રમે 70 ટકા અને 30 ટકા છે. તેમણે કહ્યું કે, આ વખતે AAPને લગભગ 20 ટકા મુસ્લિમ મત મળવાની આશા છે.