મોરબીના લખબીરપુર રોડ પરથી 5 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. સિરામીક યુનીટના લેબર ક્વાર્ટરમાંથી બાળકીનો મૃતદેહ ચકચાર મચી છે. હત્યા કરેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે હવે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે મોરબીના લખધીરપુર રોડ પર આવેલ મેટ્રો પુલ નામના સિરામિક કારખાનાના મજુર ક્વાટરમાં આજે સવારે ૭૧ નંબરની ઓરડી પાસે રહેતા બળદેવભાઈ નામના શ્રમિકની પાંચ વર્ષીય બાળકીનું ગળું કાપીને હત્યા કરાયેલી હાલતમાં મૃત મળી આવી હતી.
આપને જણાવી દઇએ કે બાળકી રાત્રે પરિવાર સાથે પોતાના રૂમ પાસે બહાર સુતી હતી અને સવારે પરિવાર જાગ્યો ત્યારે બાળકી ગાયબ હતી અને પાસેનો ૭૧ નંબર નો રૂમમાંથી બાળકી ગળું કપાયેલી હાલતમાં મળી આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
આ અંગે પોલીસની જાણ કરવામાં આવતા મોરબી DYSP સહીતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી હતી. જો કે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.