ગુજરાતમા હાલ મોરારી બાપુનો જુનો વીડિયો વાયરલ થયો છે એટલું જ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના વંશજો અંગેની કથામાં મદિરાને લઈને ટિપ્પણી કરતા મોરારીબાપૂનો વિરોધ થઈ રહ્યો છે. હાલ તેમના સમર્થકો અને ભક્તોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે બાપૂએ આ મામલે માફી માંગી લીધી છે.
મોરારિબાપુનો જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
કૃષ્ણ વિશે મોરારિબાપુએ કહેલી વાત પર બે ભાગ વહેંચાયા સમર્થકો
વીડિયોમાં મોરારિબાપુએ કૃષ્ણ અને દ્વારકા નગરીની કરી હતી ટીકા
શું કહ્યુ મોરારી બાપૂએ
મોરારીબાપૂએ કૃષ્ણ અંગેની ટિપ્પણી અને વાયરલ વીડિયો મામલે વિવાદની માફી માંગી છે. તેમણે આજે રામકથાની શરૂઆત કરતા પહેલા કહ્યુ હતુ કે, હું તો સંવાદનો માણસ છું. ભુલ તો દેવથી પણ થાય હું તો તુચ્છ માણસ માત્ર છું. જો મારાથી કોઈનું દિલ દુભાયુ હોય તો ખરા દિલથી માફી માંગુ છું. હું ખરા હ્દયથી ક્ષમા પાર્થુ છું.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 6, 2020
મોરારિબાપુનો જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે બાદ કૃષ્ણ વિશે મોરારિબાપુએ કહેલી વાત પર બે ભાગમાં સમર્થકો વહેંચાયા છે. વીડિયોમાં મોરારિ બાપુએ કૃષ્ણ અને દ્વારકા નગરીની ટીકા કરી હતી. ત્યારે કાન્હા વિચાર મંચે મોરારિ બાપુ માફી માગે તેવી માગ કરી છે.
મોરારીના સમર્થકો કહે છે બાપુ પ્રમાણ વગર નથી બોલતા
બીજી બાજુ મોરારી બાપુના સમર્થનમાં કથાકાર રસિકભાઇ રાજ્યગુરૂ આવ્યા છે. કથાકાર રસિકભાઇ રાજ્યગુરૂએ ભાગવતના શ્લોકને લઇ દાવો કર્યો છે. જેમાં તેઓએ કહ્યું કે ભાગવતમાં બલરામ મદિરા સેવન કરતા હોવાનો ઉલ્લેખ. બલરામ ભગવાન શ્રીકૃષ્ણના જયેષ્ઠ ભાઇ હતા. રસિકભાઇએ કહ્યું કે મોરારિ બાપુ પ્રમાણ વિના બોલે નહી. મોરારિ બાપુનો વિરોધ કરનારા અજ્ઞાની છે