વિવાદ / હાલ પબુભા માણેક પોતાની ગૌશાળામાં, માફી ન માંગતા હવે આહીર સમાજે લીધો મોટો નિર્ણય

Moraribapu talgajadra mahuva pabubha attack  dwarka gujarat saint support

કથાકાર મોરારી બાપુ હાલ ખુબ ચર્ચામાં છે. થોડા સમય પહેલા દેવભૂમિ દ્વારકામાં ધર્મ સ્થાપના અને કૃષ્ણ પરિવાર પર નિવેદનને લઇને ભારે વિવાદમાં આવ્યા હતા. જે બાદ યદુવંશીઓ વિરોધ અને આક્રોષ જોતા બાપુએ બે વખત માફી માંગીને સાક્ષાત દ્વારકા ભગવાન કૃષ્ણના દર્શન ગયા હતા. પરંતુ દ્વારકામાં કૃષ્ણ ભક્ત અને ભાજપના નેતા પબુભા માણેના રોષનો સામનો કરવો પડ્યો હતો. પબુભા મારવા દોડ્યા તો સાંસદ પુનમ માડમે બાપુને રોકી લીધા હતા. પરંતુ આ ઘટના બાદ હવે માહોલ ગરમાયો છે. સંતો અને આહીર સમાજ હુમલાની વિરુદ્ધમાં મેદાનમાં આવ્યા છે. મહુવા બંધનું એલાન કરાયું છે. મોટી સંખ્યામાં સાધુ-સંતો મહુવા એકઠા થયા છે. તો બીજી તરફ સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે, પબુભા માણેકને મોરારિ બાપુની માફી માંગે તેવા ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ પબુભા માફી નહીં માંગે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ