વિવાદ / મોરારિ બાપુની સુરક્ષાને લઇને ઘરની બહાર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

Moraribapu pabubha attack gujarat saint support house police protection

મોરારિ બાપુ પર પબુભા માણેક દ્વારા કરવામાં આવેલ હુમલાના પ્રયાસને લઇને સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યન જનતા સહિત સાધુ-સંતો દ્વારા પબુભાના આ કૃત્યનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે પબુભા માણેક મોરારિ બાપુની માફી માંગે તેવી માંગ કરવામાં આવી રહી છે. સૌરષ્ટ્રમાં ઠેર-ઠેર ઘટનાના પગલે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે મહુવા-વિરપુરમાં સ્વયંભુ બંધ પાળવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ આહીર સમાજ દ્વારા આંદોલનન ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો કે આ ઘટનાઓની વચ્ચે આજરોજ મહુવા ખાતે મોરારિ બાપુના ઘરની બહાર સુરક્ષાને લઇને સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ