બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Moraribapu pabubha attack gujarat saint support house police protection

વિવાદ / મોરારિ બાપુની સુરક્ષાને લઇને ઘરની બહાર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

Divyesh

Last Updated: 03:09 PM, 20 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરારિ બાપુ પર પબુભા માણેક દ્વારા કરવામાં આવેલ હુમલાના પ્રયાસને લઇને સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યન જનતા સહિત સાધુ-સંતો દ્વારા પબુભાના આ કૃત્યનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે પબુભા માણેક મોરારિ બાપુની માફી માંગે તેવી માંગ કરવામાં આવી રહી છે. સૌરષ્ટ્રમાં ઠેર-ઠેર ઘટનાના પગલે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે મહુવા-વિરપુરમાં સ્વયંભુ બંધ પાળવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ આહીર સમાજ દ્વારા આંદોલનન ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો કે આ ઘટનાઓની વચ્ચે આજરોજ મહુવા ખાતે મોરારિ બાપુના ઘરની બહાર સુરક્ષાને લઇને સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

  • ભાવનગર મોરારીબાપુના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત 
  • મોરારીબાપુની સુરક્ષાને લઇ ગોઠવાયો બંદોબસ્ત 
  • ઘરના પટંગણમાં પણ 8 થી વધુ બાઉનસરો મુકાયાં

દ્વારકામાં મોરારિ બાપુ પર થયેલા હુમલા બાદ રાજ્યભરના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ભાવનગરમાં મોરારિ બાપુના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મોરારી બાપુની સુરક્ષાને લઈને બંદોબસ્ત ગોઠવાયો છે.

મોરારિ બાપુના ઘરના પટાંગણમાં પણ 8થી વધુ બાઉન્સરો તૈનાત કરાયા છે. દ્વારકામાં પબુભા માણેકે મોરારિ બાપુ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ રાજ્યભરના સાધુસંતો તેમને મળવા માટે આવી રહ્યા છે. ત્યારે હવે તેમના ઘરની બહાર પોલીસ અને બાઉન્સરોનો બંદોબસ્ત ગોઠવાયો છે.

રાજ્યભરના સાધુ સંતો મોરારિ બાપુને મળવા માટે પહોંચ્યાં

દ્વારકામાં મોરારિ બાપુ પર થયેલા હુમલા મામલે રાજ્યભરના સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્યભરના સાધુ સંતો ભાવનગરના મહુવામાં મોરારિ બાપુને મળવા માટે પહોંચ્યાં છે. 

પબુભાના કૃત્ય સામે વીરપુર ગામ સજ્જડ બંધ 

વીરપુરમાં મોરારિ બાપુ પર હુમલાના પ્રયાસની ઘટનાનો ભારે વિરોધ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર  ઘટનાના પગલે વિરોધનો વંટોળ જોવા મળી રહયો છે. લોકો પ્રબુભાના કૃત્યનો વિરોધ કરી રહ્યાં છે. વિરપુરમાં પણ વેપારીઓએ આજે મોરારિ બાપુના સમર્થનમાં બંધ પાળ્યું છે.

મોરારિ બાપુના સમર્થનમાં માયાભાઇ આહિર

મોરારિ બાપુના સમર્થનમાં મહુવા બંધ રાખવામાં આવ્યુ છે. મહુવા બંધના એલાનને લઈને માયાભાઈ આહિરે નિવેદન આપ્યુ હતું કે, દ્વારકામાં જે ઘટના બની તેને હું વખોડું છું. દ્વારકાની ઘટનાને મહુવાની જનતાએ વખોડી છે અને લોકોએ જે રીતે મોરારિ બાપુને સમર્થન આપ્યુ તેને હું આવકારું છુ. દ્વારકામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારિ બાપુ પર હુમલો કર્યો હતો. જો કે આ ઘટના બાદ રાજ્યની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Pabubha Manek Police moraribapu protection પબુભા માણેક પોલીસ બંદોબસ્ત મોરારિ બાપુ હુમલો morari bapu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ