વિવાદ / સમર્થકો, આહીરોની માંગ છતા પબુભાએ મોરારિ બાપુની માફી ના માંગતા ભૂપેન્દ્રસિંહનું આવ્યું મોટું નિવેદન

Moraribapu pabubha attack bhupendrasinh chudasama talgajadra mahuva dwarka gujarat

દ્વારકામાં મોરારિ બાપુ પર થયેલા હુમલા મામલે રાજ્યભરના સાધુ-સંતો, સમર્થકો અને આહિર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અનેક જગ્યાએ ભાજપન નેતા પબુભા માણેકનો વિરોધ થઇ રહ્યો છે. રાજ્યભરના સાધુ-સંતો, નેતાઓ અને સમર્થકો ભાવનગરના મહુવાના તલગાજરડા ગામે મોરારિ બાપુને મળવા માટે પહોંચ્યા હતા. બાપુના તરફેણમાં સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ આવેદન અપાયા છે. સમર્થકો અને આહીર સમાજની માંગ છે કે પબુભા માણેક મોરારિબાપુની તલગાજરડા જઇને માફી માગે. પરંતુ આગેવાનોની સમજાવટ છતા પબુભા માફી માંગવાના મૂડમાં નથી જણાતા. ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત પંડ્યા અને ભારતીબેન શિયાળ દ્વારા વિવાદને શાંત પાડવાના પ્રયાસો કરાયા હતા. જોકે પબુભા તરફથી માફી માંગવા અંગે કોઇ નિર્ણય નથી લેવાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ