યુક્રેન-રશિયા યુદ્ધ મામલે મોરારીબાપુએ આપ્યું મોટું નિવેદન
' યુક્રેનમાં તૂટી પડેલા ઘર રામ મંદિર જ છે '
રામમંદિર માટે થયેલ 1.25 કરોડનું દાન યુક્રેનને આપ્યું- મોરારિબાપુ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ભારત સહિત તમામ દેશો એવું જ ઇચ્છે છે કે આ યુદ્ધ શાંત થઇ જાય. અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજી પણ આની આજ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે કથાકાર મોરારિબાપુએ આ મામલે મહત્વનું નિવેદન આપ્યું. તેઓએ જણાવ્યું કે આ બંને દેશ વચ્ચે પાગલપન શાંત થાય માટે ભગવાનને પ્રાર્થના કરું છું. તેમજ રામમંદિર માટે એકત્ર થયેલું 1.25 કરોડનું દાન યુક્રેનને આપ્યું. આ પ્રસંગે જણાવ્યું કે યુક્રેનમાં તૂટી પડેલા ઘર રામ મંદિર જ છે. અને એને ઉભા કરવા દાન આપ્યું..મહત્વનુ છે કે અરવલ્લીના મેઘરજમાં હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી તે દરમિયાન તેઓએ આ મહત્વનું નિવેદન આપ્યું.
પાગલ ચિત્તનું કોઇ ઠેકાણું નહી- મોરારિબાપુ
કથાકાર મોરારિબાપુએ વધુમાં જણાવ્યું કે લંડનમાં રામમંદિર માટે જે પૈસા ભેગા થયા હતા તે યુક્રેનમાં પડી ગયેલા ઘરો માટે કામ આવે તે માટે મે એક કરોડ 25 લાખ રુપિયા આપવાનું જાહેર કર્યું. જેમાંથી યુક્રેનમાં એક કરોડ અને 12 લાખ રુપિયાની સેવા તો થઇ ચૂકી છે. વિશ્વની શાંતિ માટે હું પ્રાર્થના કરુ છું કે આ પાગલપન શાંત થાય અને માનવતાનો થોડો વિચાર કરે.
અગાઉ સવા કરોડરુપિયાની સહાયની જાહેરાત
મહત્વનું છે કે યુક્રેન-રશિયા યુદ્ધમાં અસરગ્રસ્ત ભારતીયોને સહાય કથાકાર મોરારિબાપુએ સહાયની જાહેરાત કરી હતી.. લોનાવાલા ખાતે કથા દરમિયાન મોરારીબાપુએ અસરગ્રસ્તોને સવા કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. તેમજ મોરારીબાપુએ સરકારના મિશન ગંગાની કામગીરીના વખાણ કર્યા હતા.