મોરારી બાપુએ કોઇ પણ નામ લીધા વિના આડકતરી રીતે હિંદુત્વના પ્રહરીનું ઉદાહરણ આપતા કહ્યું કે, 'હિંદુત્વના પ્રહરી મસ્જિદમાં પણ જઈ આવ્યા તો કોઈ બોલી શકતું નથી.'
મોરારી બાપુનું વ્યાસપીઠ પરથી ચોંકાવનારું નિવેદન
હું હિંદુ મુસ્લિમની વાત કરું તો મારી આકરી ટીકા કરો છો: મોરારી બાપુ
નામ લીધા વિના હિંદુત્વના પ્રહરીનું ઉદાહરણ આપતા પ્રહાર કર્યા
મોરારી બાપુ કે જેઓ કોઇને કોઇ કારણોસર વિવાદમાં આવતા રહેતા હોય છે. અગાઉ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણ પર કરેલી વિવાદિત ટિપ્પણીના કારણે તેઓ વિવાદમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે વ્યાસપીઠ પરથી તેઓનું વધુ એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.
હિંદુત્વના પ્રહરી મસ્જિદમાં પણ જઈ આવ્યા તો કોઈ બોલી શકતું નથી: મોરારી બાપુ
મોરારી બાપુએ કોઇ પણનું નામ લીધા વિના હિંદુત્વના પ્રહરીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, 'હું હિંદુ મુસ્લિમની વાત કરું તો મારી આકરી ટીકા કરો છો. હું ગઝલમાં ઉર્દુ શબ્દ બોલું તો મારી આકરી ટીકા થાય છે. હિંદુત્વના પ્રહરી મસ્જિદમાં પણ જઈ આવ્યા તો કોઈ બોલી શકતું નથી. હું હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રયત્ન કરું તો કેટલાક લોકો સહન કરી શકતા નથી. મારી ટીકા કરનારા લોકો હિંદુત્વના પ્રહરીના મુદ્દે કેમ બોલી શકતા નથી?'
અગાઉ RSSના વડા મસ્જિદમાં ગયા હતા
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે પણ અગાઉ ઑલ ઈન્ડિયા મુસ્લિમ ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સહિત અન્ય મુસ્લિમ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દિલ્હીની કસ્તુરબા ગાંધી માર્ગ પર આવેલી મસ્જિદમાં થઈ હતી. ત્યારે મોરારી બાપુએ કોઇ પણનું નામ લીધા વિના આડકતરી રીતે હિંદુત્વના પ્રહરીનું ઉદાહરણ આપતા કહ્યું કે, 'હું હિંદુ મુસ્લિમની વાત કરું તો મારી આકરી ટીકા કરો છો, હિંદુત્વના પ્રહરી મસ્જિદમાં પણ જઈ આવ્યા તો કોઈ બોલી નથી શકતું.'
અગાઉ પણ અનેક વખત મોરારી બાપુ વિવાદમાં આવી ચૂક્યા છે
અગાઉ પણ કોઈ કથામાં મોરારી બાપુએ નીલકંઠવર્ણી એટલે કે ભગવાન સ્વામિનારાયણ કે જેઓને નીલકંઠવર્ણી કહેવામાં આવે છે તેમને લઇને વિવાદીત નિવેદન કર્યુ હતું. ત્યારે મોરારીબાપુની આ ટિપ્પણીને લઈને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી હતી. તદુપરાંત ભગવાન દ્વારકાધીશને લઇને પણ તેઓએ વિવાદિત ટિપ્પણી આપતા આહીર સમાજ તેમજ સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. આમ, અનેક વખત વિવાદમાં આવી ચૂકેલા મોરારી બાપુએ એકવાર ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું છે.