જાણીતા કથાકાર મોરારી બાપુએ કેન્દ્ર સરકાર સમક્ષ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન આપવાની સૂચન કર્યુ છે.
મોરારીબાપુએ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને મરણોત્તર ઉપરાંત ભારત રત્ન કર્યું સૂચન
ભાવનગરના 300માં જન્મદિવસની ઉજવણી દરમિયાન કર્યું સૂચન
ભારત રત્ન માટે અનેક સંસદ સભ્યો તેમજ અનેક સંસ્થાએ કરી છે માગ
ભારત રત્ન સાથે એરપોર્ટનું નામ આપવા પણ કરાઈ છે માગ
મોરારીબાપુએ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને મરણોત્તર ઉપરાંત ભારત રત્ન કર્યું સૂચન
મોરારી બાપુએ સરકાર સમક્ષ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને મરણોત્તર ભારત રત્ન આપવાની માંગ કરી છે. મહત્વનું છે કે, મોરારી બાપુએ ભાવનગરના 300માં જન્મદિવસની ઉજવણી દરમિયાન સરકાર સમક્ષ સૂચન કર્યું હતું. મહત્વનું છે કે, મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન મળે તે માટે અનેક સંસદ સભ્યો તેમજ અનેક સંસ્થાએ માંગ કરી છે આ સાથે ભારત રત્ન સાથે એરપોર્ટનું નામ આપવા પણ માંગ કરાઈ છે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 4, 2022
કોણ હતા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી?
કૃષ્ણકુમારસિંહનો જન્મ 19 મે 1912ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (7875-1919, શા. 1896-1919)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ 1919માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત 7 વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ 1931 સુધી શાસનની ધુરા સંભાળી હતી.
ભારતની આઝાદી બાદ રજવાડાના વિલિનીકરણમાં પોતાનું રજવાડું સોંપ્યું
ભારત આઝાદ થયું હતું અને રજવાડાઓનું વિલિનીકરણ કરવાની યોજના બની હતી અને સરદાર પટેલ જયારે સહી માટે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ પાસે આવે છે ત્યાંરે મહારાજા સરદારને કહે છે કે "વલ્લભભાઈ આ ભાવનગર રાજ્ય અને સંમ્પતિ હુ પ્રજાના કલ્યાણ માટે ભારત સરકાર ને સોંપુ છુ એમ કહીને તેમણે 1700 પાદર ભારત સરકારને સોપ્યા.
2 એપ્રિલ, 1965માં થયું હતું દેહાવસાન
પ્રજાલક્ષી રાજવી 2 એપ્રિલ, 1965ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા. તેમના અવસાનના સમાચાર વાયુવેગે ભાવનગરમાં પ્રસરી ગયા અને આ મહારાજાના માનમાં આખુય ભાવનગર સ્વયંભૂ, જડબેસલાક બંધ હતું. લોકોએ ઘરે ચૂલા નહોતા સળગાવ્યા અને આખુંય ભાવનગર શેરીઓમાં ઉમટી પડેલું