કૃષ્ણ ભગવાન અંગે નિવેદન બાદ ભારે વિરોધ સર્જાયો હતો. ત્યારે બે વખત માફી માંગ્યા બાદ મોરારિ બાપુ દ્વારકા આવીને દ્વારકાધીશની માફી માંગવા માટે આવ્યા હતા. આ દરમિયાન પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ થતા ભારે ઉહાપોહ થયો હતો. આ મામલે પબુભાના ભારે વિરોધ બાદ મોરારીબાપુનું નિવેદન સામે આવ્યું છે મોરારી બાપુએ તેમને માફી આપી છે.
પબુભા માણેક દ્વારા હુમલા બાદ મોરારીબાપુની પહેલી પ્રતિક્રિયા
મોરારિબાપુએ આડકતરી રીતે પબુભા માણેકને કર્યા માફ
"મોરારિબાપુએ ઘટના અંગે કર્યો ખુલાસો"
શું કહ્યું બાપુએ?
દ્વારકાના મંદિરમાં હુમલા મામલે મોરારીબાપુનીએ પ્રતિક્રિયા આપી છે કે, હું માફી માંગનારો છું અને માફી આપનારો પણ છું. સાથે જ તેમણે કીધુ કે, મારા કોઈ અનુયાયીઓ જ નથી. મહત્વનું છે કે, દ્વારકાના મંદિરમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારિ બાપુ પર હુમલો કર્યો હતો. આ ઘટના અંગે ખુલાસો કરતા સમયે મોરારિ બાપુએ આડકતરી રીતે પબુભાને માફ કર્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 19, 2020
કૃષ્ણ ભગવાન અંગે નિવેદન બાદ ભારે વિરોધ સર્જાયો હતો. ત્યારે બે વખત માફી માંગ્યા બાદ મોરારિ બાપુ દ્વારકા આવીને દ્વારકાધીશની માફી માંગવા માટે આવ્યા હતા. આ દરમિયાન પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ થતા ભારે ઉહાપોહ થયો હતો. મોરારિ બાપુ તાત્કાલીક ત્યાંથી નીકળી ગયા હતા આ મામલામાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.
ત્યારે આ સંત સમાજે બાપુનો પક્ષ લઈને મોરચો માંડ્યો છે. CM રૂપાણી સહિતના નેતાઓએ પણ આ અંગે ખેદ વ્યક્ત કર્યો છે.