મોરારી બાપુ નામ સામે આવે એટલે આપણને રામકથાની યાદ આવે. પરંતુ જ્યારે-જ્યારે મોરારીબાપુ દેશહીતમાં કોઈ વાત કરે ત્યારે પણ આપણે તેમાં કાંઈક ખામીઓ શોધતા ફરીએ છીએ. તેવામાં હાલમાં મોરારીબાપુના વધુ એક નિવેદન પર ચર્ચા જાગી છે. જેમાં તેમણે દેશહીતમાં વાત કરતા અમિત શાહની તૂલના સરદાર સાથે કરી નાખી. તો તેના પર વિપક્ષો રાજનીતિ કરવા લાગ્યા છે.
વિરપુરમાં કથા દરમિયાન મોરારી બાપુએ આપ્યુ નિવેદન
મોરારીબાપુનો રાષ્ટ્રહિત માટે સંદેશ
દેશ વિરોધી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ: મોરારી બાપુ
મોરારી બાપુ પોતાના એક નિવેદનથી ફરી વિવાદમાં આવ્યા છે. પ્રજાસત્તાક દિવસે વિરપુરમાં કથા દરમિયાન મોરારી બાપુએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, રાષ્ટ્રનુ મંગલ થતુ હોય ત્યારે વિરોધ શા માટે ? અમુક લોકોએ ફક્ત નિંદા જ કરવી છે. રાષ્ટ્રહિત માટે બધાએ એક થવુ જોઈએ. 70 વર્ષ પછી એક બે કલમ બદલી ન શકાય ? અમિત શાહ નિર્ણય લે ત્યારે સરદારની યાદ આવે છે. બધા સાથે રહીએ, સાથે બોલીએ. બધારાષ્ટ્ર પોતપોતાના હિતનુ વિચારે જ છે.
ગમે એનો ગુલાલ કરવો જોઇએઃ મોરારી બાપુ
બાપુએ કહ્યું, મને ગમે આમ આપણે કંઇ કોઇના પક્ષની સાથે કાઇ લેવા દેવા નથી. પક્ષાપક્ષ હોય ત્યાં પરમેશ્વર જ ન હોય આપણે તો પરમેશ્વર માટે નીકળ્યા છીએ. આપણે શું લેવા દેવા, પ્રમાણિક અંતર બધાની સાથે. પણ ગમે એનો ગુલાલ કરવો જોઇએ એવું સાઇ મકરંદ શીખવી ગયા છે.
વિપક્ષે મોરારી બાપુના નિવેદનને વખોડ્યું
પરેશ ધાનાણીએ મોરારિબાપુને આડકતરો જવાબ આપતા ટ્વિટ કરીને લખ્યું કે, રાવણ પણ શિવભક્ત, શૂરવીર અને વિદ્ધાન હતો. રાવણની કરતૂતોથી મુક્તિ માટે જ રામાયણ રચાઇ હતી. રાવણના પાત્રને નમ્ર પણે ન્યાયનો પ્રયાસ. ન્યાયના પ્રયાસમાં વાનર-ખિસકોલીની ઉપેક્ષા ન થાય. વાનર-ખિસકોલીની ઉપેક્ષા ન થાય એ જ રામરાજ્ય.
બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, મોરારીબાપુના આવા નિવેદન આપે તેનાથી દુઃખ થયુ. સરદાર પટેલને કોઈ તડીપાર વ્યક્તિ સાથે સરખાવ્યા.
ત્યારે બીજી તરફ વિપક્ષો સરદાર સાથેની તુલનાને વખોડી રહ્યા છે. પરંતુ આ રાજનીતિ કરનારા બાપુના આખા નિવેદન અંગે આપને નહીં જણાવે. જેમાં બાપુએ એક સુંદર સંદેશ આપ્યો છે. કારણ કે, તેમને રાજનીતિ કરવી છે. પરંતુ બાપુએ દેશના લોકોને સંદેશ પણ આપ્યો છે.
મોરારી બાપુએ રાષ્ટ્રને આપ્યો સંદેશ
મોરારી બાપુના આ રાષ્ટ્રને સંદેશ આપતા આ શબ્દોની ચર્ચા કોઈ નહીં કરે. વિપક્ષો તેના પર એક શબ્દ પણ નહીં બોલે. પરંતુ જેવું જ બાપુએ તેમાં અમિત શાહનું નામ લીધું અને તેમાં પણ સરદાર સાથે તૂલના કરી તો વિપક્ષો તેના પર ચઢી બેઠા.
બાપુએ કહ્યું કે, 'આપણા હિંમતપૂર્વક, સાહસપૂર્વક બંધારણીય નિર્ણયો લેતા આપણા ગુજરાતના.. થોડી સરદારની યાદી આપે તેવા અત્યારે કેન્દ્ર સરકારના ગૃહમંત્રી આદરણિય અમિતભાઈ શાહ. જ્યારે પરમાતમા જે સમયે જેના દ્વારા કાંઈક રાષ્ટ્રનું મંગલ થાય એવું કોઈપણની પાસે કરાવે ત્યારે બધી બાબતમાં વિરોધ જ શા માટે?' હકીકતમાં મોરારીબાપુએ તો અહીં દેશના તમામ નેતાઓ અને રાજકીય પક્ષોનો ઉલ્લેખ કરતા નાગરિક્તા કાયદાની પ્રશંસા કરી હતી. તેમણે એવું કહ્યું કે, 'જ્યારે રાષ્ટ્રના હિતમાં કોઈ નિર્ણય થઈ રહ્યો હોય ત્યારે કેમ આપણે સાથે મળી તેને આવકારતા નથી.'
નાના-મોટા પક્ષીય હેતુના કારણે દ્વેશના કારણે અમુક ગૃપોને ઉક્સાવી-ઉક્સાવીને ભારતનું કલ્યાણ થતું હોય અને ભારતના કલ્યાણમાં વિશ્વનું કલ્યાણ સમાહિત છે તેવા સમયે અમુક વસ્તુઓને ઉક્સાવીને ગમે તેમ કરીને દેશમાં અશાંતિ તોફાન આદી..આદી..કોઈપણ કામ જે રીતે કરતું હોય કરાવતું હોય. જેનો આમાં ક્યાંય હાથ ન હોય તે તો બધા મહાન છે જ. જેનો હાથ હોય તે પણ મહાન છે. પણ કેમ ન રાષ્ટ્રને નજરમાં રાખીને તેનું સારૂ વિચારતા આવી પ્રવૃત્તિ બંધ થવી ન જોઈએ ?
અહીં બાપુએ નામ લીધા વિના જ નાગરિક્તા કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાષ્ટ્રના હિતમાં બંધારણના કોટલાક કાયદા બદલવા પડે તો તેમાં તકલીફ શું છે? શું રાષ્ટ્રહિત માટે બંધારણમાં ફેરફારે ન કરી શકાય? બંધારણની મર્યાદામાં રહીને લોકતંત્રને નજરમાં રાખીને અના માટે કાંઈક સૌનું હિત થાય તેવા પગલા ન ઉઠાવાય? બંધારણની અંદર રહીને અને કદાચ એવી જોગવાઈ ન હોય તો 70 વર્ષે બંધારણની એક-બે કલમો ફેરવી ન શકાય?
બાપુના આ શબ્દો ઘણુ બધું કહી જાય છે. પરંતુ કોંગ્રેસના નેતાઓને તો બસ સરદાર સાથે અમિત શાહની શું તૂલના કરી નાખી કે, પ્રહારો કરવાનો મુદ્દો મળી ગયો. પરંતુ કોઈએ એ ધ્યાન ન આપ્યું કે, બાપુએ રાષ્ટ્રના વિકાસની વાત કરી, ભાઈચારાની વાત કરી અને તમામ દિગ્ગજોને દેશમાં શાંતિ માટે અપીલ કરી. બાપુએ કહ્યું કે, રામકથા હોય અને જો રાષ્ટ્રકથા ભૂલી જવાય તો રામનું કાર્ય મોરારીબાપુ ચૂક્યો કહેવાય. માટે થોડું કીધું સમજદાર માણસો થોડામાં ઘણુ સમજી જજો.