કથાકાર મોરારી બાપુનો રામકથા દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો છે. એક વર્ષ જૂના આ વીડિયોને લઈને દેશભરમાં મોટી બબાલ મચી છે. દેશભરમાં મોરારિ બાપુ સામે આંદોલનનું બ્યૂગલ ફૂંકાયું છે. તેમણે કૃષ્ણ ભગવાન એક વિવાદિત ટિપ્પણી કરતા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે આ મુદ્દે તેમણે માફી માગી હોવા છતાં ભાલકાતીર્થ ખાતે જિલ્લાના યુદુવંશીઓ થયા એકઠાં થયાં હતા અને આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું.
કથાકાર મોરારી બાપુની કૃષ્ણ વિશે ટિપ્પણી મામલો
ગીર-સોમનાથના યુદુવંશી સામે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
મોરારીબાપુ દ્વારકા આવીને માફી માગે તેવી ઉચ્ચારી ચીમકી
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લાના ભાલકાતીર્થ ખાતે આહીર સમાજ લોકો એકઠાં થયાં હતા અને મોરારીબાપુની કૃષ્ણ પર ટિપ્પણી મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
દ્વારકા આવીને મોરારી બાપુ માફી માગે તેવી ચીમકી ઉચ્ચારી
આ સાથે જ યુદુવંશીઓ એકઠાં થઇને એક ચીમકી પણ ઉચ્ચારી હતી. સમાજના આગેવાનોએ કહ્યું હતું કે, મોરારીબાપુ દ્વારકા આવી માફી માંગે નહીંતર ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ભાવુક થઇ મોરારી બાપુએ માફી માગી
મોરારિ બાપુએ ફરી એક વાર માફી માગતા સમયે ભાવુક થયા હતા. તેમણે રડતા રડતા કહ્યું હતું કે દુનિયામાં કોઈનુ દિલ દુભાય તે પહેલા હું સમાધિ લેવાનું પસંદ કરીશ. મારા નિવેદનથી કોઈ પણને દુઃખ થયુ હોય તો માફી માગુ છું. કોઈપણ સ્થિતિને હું પ્રભુનો કૃપાપ્રસાદ સમજુ છું. હું એ નથી ઈચ્છતો કે સમાજમાં વિવાદ થાય.
સાથે જ કહ્યું કે મારા કારણે બધાયને સામાન્ય પીડા થઈ છે. પરંતુ તમે મને પોતાનો સમજો કે નહીં પરંતુ હું તમને પોતાના જ સમજુ છુ, મારા માટે કોઈ પારકો નથી. કૃષ્ણ મારો ઈષ્ટ દેવ છે, પુર્ણ પુરષોત્તમ છે. એટલે મે કૃષ્ણની આખરી સમયની પીડાઓ વ્યક્ત કરી છે. કૃષ્ણ સ્મરણ કરતા મારી આંખોમાં જેટલીવાર ભીંજાઇ છે એટલીવાર કોઇનીએ નહીં ભીંજાઇ હોય. આંખમાં જે આંસુ છે તે આંખના નહીં મારી આત્માના આંસુ છે એટલે ફરી કહું છું કે જો મારા નિવેદનથી કોઇને દુઃખ લાગ્યું હોય તો હું ફરી માફી માગું છું.
કૃષ્ણ મારા ઇષ્ટદેવ છેઃ મોરારિ બાપુ
મોરારિ બાપુએ કહ્યું કે, કૃષ્ણ મારા ઇષ્ટદેવ છે, મારા પ્રભુ છે. મારી પરંપરા નિંબાર્કી છે. મારા કુળદેવી રૂક્ષ્મણીજી છે. અમારું ધામ મથુરા-દ્વારકા છે. અમારો ઘાટ વિશ્વાસ છે. અમારી પરિક્રમા ગિરિરાજની છે. અમારી ગાયત્રી ગોપાલ ગાયત્રી છે. અમારો વેદ સામવેદ છે. અમારું ગોત્ર અચ્યૂત છે અને હરિનામ મારો આહાર છે. સાધુના અંતરના ભાવથી મારા કોઈ નિવેદનથી દુનિયાના કોઇ પણ માણસનું દિલ દુખાય એ પહલા તો હું સમાધિ લેવાનું પસંદ કરીશ.