સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના ભક્તિરામ બાપુનું નિવેદન સામે આવ્યું છે. ભક્તિરામ બાપુ મોરારીબાપુના સમર્થનમાં આવ્યા છે. કૃષ્ણ અંગે વિવાદી નિવેદનને લઇ મોરારિ બાપુ સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વિરોધને લઇ મોરારિ બાપુ બે વાર માફી પણ માગી ચુક્યા છે.
મોરારીબાપુના સમર્થનમાં આવ્યાં ભક્તિરામ બાપુ
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના ભક્તિરામ બાપુનું નિવેદન
મોરારિ બાપુના સમર્થનમાં સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના ભક્તિરામ બાપુ આવ્યાં છે. તેમણે મોરારિ બાપુનો બચાવ કરતા કહ્યું કે જૂની કથામાંથી કલીપ કાઢીને સોશિયલ મીડિયામાં મુકાવામાં આવી છે. બાપુને જાણી જોઇ બદનામ કરવા માટે કોઇએ ક્લીપ મુકી હોવાનો પણ દાવો કર્યો છે. સાથે સાથે કહ્યું કે મોરારિ બાપુ વર્ષોથી કથાઓ કરે છે અને દરેક જ્ઞાતિને સાથે રાખે છે. આહીરો અને યદુવંશીઓ બાપુને પ્રિય છે.
શું છે વિવાદ
કથાકાર મોરારી બાપુનો રામકથા દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો છે. એક વર્ષ જૂના આ વીડિયોને લઈને દેશભરમાં મોટી બબાલ મચી છે. દેશભરમાં મોરારિ બાપુ સામે આંદોલનનું બ્યૂગલ ફૂંકાયું છે. તેમણે કૃષ્ણ ભગવાન એક વિવાદિત ટિપ્પણી કરતા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે આ મુદ્દે તેમણે માફી માગી હોવા છતાં ભાલકાતીર્થ ખાતે જિલ્લાના યુદુવંશીઓ થયા એકઠાં થયાં હતા અને આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું.
કોણ કરી રહ્યુ છે વિરોધ?
મોરારિબાપુનો જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે બાદ કૃષ્ણ વિશે મોરારિબાપુએ કહેલી વાત પર બે ભાગમાં સમર્થકો વહેંચાયા છે. વીડિયોમાં મોરારિ બાપુએ કૃષ્ણ અને દ્વારકા નગરીની ટીકા કરી હતી. ત્યારે કાન્હા વિચાર મંચે મોરારિ બાપુ માફી માગે તેવી માગ કરી છે. તો મોરારી બાપુના સમર્થનમાં કથાકાર રસિકભાઇ રાજ્યગુરૂ આવ્યા છે. કથાકાર રસિકભાઇ રાજ્યગુરૂએ ભાગવતના શ્લોકને લઇ દાવો કર્યો છે. જેમાં તેઓએ કહ્યું કે ભાગવતમાં બલરામ મદિરા સેવન કરતા હોવાનો ઉલ્લેખ. બલરામ ભગવાન શ્રીકૃષ્ણના જયેષ્ઠ ભાઇ હતા. રસિકભાઇએ કહ્યું કે મોરારિ બાપુ પ્રમાણ વિના બોલે નહી. મોરારિ બાપુનો વિરોધ કરનારા અજ્ઞાની છે.
મોરારી બાપુએ માફી માગી
મોરારિ બાપુએ ફરી એક વાર માફી માગતા સમયે ભાવુક થયા હતા. તેમણે રડતા રડતા કહ્યું હતું કે દુનિયામાં કોઈનુ દિલ દુભાય તે પહેલા હું સમાધિ લેવાનું પસંદ કરીશ. મારા નિવેદનથી કોઈ પણને દુઃખ થયુ હોય તો માફી માગુ છું. કોઈપણ સ્થિતિને હું પ્રભુનો કૃપાપ્રસાદ સમજુ છું. હું એ નથી ઈચ્છતો કે સમાજમાં વિવાદ થાય.
સાથે જ કહ્યું કે મારા કારણે બધાયને સામાન્ય પીડા થઈ છે. પરંતુ તમે મને પોતાનો સમજો કે નહીં પરંતુ હું તમને પોતાના જ સમજુ છુ, મારા માટે કોઈ પારકો નથી. કૃષ્ણ મારો ઈષ્ટ દેવ છે, પુર્ણ પુરષોત્તમ છે. એટલે મે કૃષ્ણની આખરી સમયની પીડાઓ વ્યક્ત કરી છે. કૃષ્ણ સ્મરણ કરતા મારી આંખોમાં જેટલીવાર ભીંજાઇ છે એટલીવાર કોઇનીએ નહીં ભીંજાઇ હોય. આંખમાં જે આંસુ છે તે આંખના નહીં મારી આત્માના આંસુ છે એટલે ફરી કહું છું કે જો મારા નિવેદનથી કોઇને દુઃખ લાગ્યું હોય તો હું ફરી માફી માગું છું.
કૃષ્ણ મારા ઇષ્ટદેવ છેઃ મોરારિ બાપુ
મોરારિ બાપુએ કહ્યું કે, કૃષ્ણ મારા ઇષ્ટદેવ છે, મારા પ્રભુ છે. મારી પરંપરા નિંબાર્કી છે. મારા કુળદેવી રૂક્ષ્મણીજી છે. અમારું ધામ મથુરા-દ્વારકા છે. અમારો ઘાટ વિશ્વાસ છે. અમારી પરિક્રમા ગિરિરાજની છે. અમારી ગાયત્રી ગોપાલ ગાયત્રી છે. અમારો વેદ સામવેદ છે. અમારું ગોત્ર અચ્યૂત છે અને હરિનામ મારો આહાર છે. સાધુના અંતરના ભાવથી મારા કોઈ નિવેદનથી દુનિયાના કોઇ પણ માણસનું દિલ દુખાય એ પહલા તો હું સમાધિ લેવાનું પસંદ કરીશ.