કૃષ્ણ ભગવાન અંગે નિવેદન બાદ ભારે વિરોધ સર્જાયો હતો. ત્યારે બે વખત માફી માંગ્યા બાદ મોરારિ બાપુ દ્વારકા આવીને દ્વારકાધીશની માફી માંગવા માટે આવ્યા હતા. આ દરમિયાન પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ થતા ભારે ઉહાપોહ થયો હતો. આ મામલે માયાભાઈ આહિરે મહુવા બંધનું એલાન આપ્યુ છે.
મોરારિ બાપુના સમર્થનમાં મહુવા બંધનું એલાન
મહુવા બંધના એલાનને લઈને માયાભાઇ આહિરનું નિવેદન
હું દ્વારકામાં જે ઘટના બની તેને વખોડું છું: માયાભાઈ
મોરારિ બાપુના સમર્થનમાં મહુવા બંધ રાખવામાં આવ્યુ છે. મહુવા બંધના એલાનને લઈને માયાભાઈ આહિરે નિવેદન આપ્યુ છે કે, દ્વારકામાં જે ઘટના બની તેને હું વખોડું છું. દ્વારકાની ઘટનાને મહુવાની જનતાએ વખોડી છે. અને લોકોએ જે રીતે મોરારિ બાપુને સમર્થન આપ્યુ તેને હું આવકારું છુ. દ્વારકામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારિ બાપુ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળ્યો. ત્યારે હવે મહુવામાં બંધનું એલાન અપાયું છે.