કૃષ્ણ પરિવાર અંગે નિવેદનના વિરોધ બાદ મોરારિ બાપુ બે વખત માફી માગી ચુક્યા છે. કાન્હા વિચાર મંચ અને અન્ય સંગઠનો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી હતી કે મોરારિ બાપુ દ્વારકા આવીને ભગવાનની માફી માંગે. ત્યારે આજે કથાકાર મોરારિ બાપુ દ્વારકાધીશની માફી માંગવા દ્વારકા પહોંચ્યા હતા આ દરમિયાન દ્વારકા મંદિરમાં પબુભા માણેક દ્વારા હુમલાના પ્રયાસની ઘટના સામે આવી હતી. ત્યારે હવે આ અંગે પબુભા માણેકે વીટીવી સાથેની વાતચીતમાં આ અંગે પોતાનો બચાવ કર્યો હતો.
કૃષ્ણ પર નિવેદનના વિવાદ બાદ દ્વારકા જઈને મોરારિ બાપુએ માફી માંગી
મોરારીબાપુ પર પબુભા માણેકે હુમલો કરવાનો પ્રયાસ કર્યો
મોરારિબાપુ પર હુમલા અંગે પબુભા માણેકની પ્રથમ પ્રતિક્રિયા
વિવાદનો અંત આવે તે માટે મોરારિ બાપુ દ્વારકાધીશ મંદિરે માફી માંગવા પહોંચ્યા હતા. આ સમયે પબુભા માણેકે મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે પબુભા મોરારિ બાપુ તરફ જઇ રહ્યા છે, આ દરમિયાન પૂનમ માડમ અને અન્ય એક વ્યક્તિ દ્વારા તેમને રોકી દેવામાં આવે છે. આ દરમિયાન પબુભા માણેકે અણછાજતા શબ્દો પણ કહ્યા હતા. જોકે અંતે પૂનમ માડમે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
મોરારીબાપુ પર હુમલાના પ્રયાસ સંદર્ભે પબુભા માણેકે પોતાનો બચાવ કરતા કહ્યું કે, મને ખોટી રીતે બદનામ કરાયો છે. મારે ફકત સવાલ કરવો હતો. અર્થનો અનર્થ કરવામાં આવ્યો છે. હું મોરારિ બાપુને સવાલ પુછવા જતો હતો આ દરમિયાન પકડાપકડી થવા લાગી હતી. મારે મોરારિ બાપુને પૂછવું હતું કે, બલરામજી અંગે કયા પુસ્તકમાં વર્ણન છે. વીટીવીની વાતચીત દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, જેને જે સમજવું હોય તે સમજે.
આંગણે આવેલા મહેમાન સાથે પબુભાનું વર્તન દુઃખદઃ પ્રવિણ મામડ
મોરારિ બાપુ પર પબુભાના હુમલાના પ્રયાસનો મામલે પ્રવિણ માડમે કહ્યું કે, મોરારી બાપુ ભગવાનની માફી માંગવા આવ્યા હતા. સંત અને મહેમાન પર આવું વર્તન અયોગ્ય છે. આંગણે આવેલા મહેમાન સાથે પબુભાનું વર્તન દુઃખદ છે.