મોરારીબાપુએ કરેલા નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. નીલકંઠ અને નીલકંઠવર્ણીના નિવેદનને લઈને મોરારીબાપુએ નિવેદન કર્યું હતું. મોરારીબાપુએ નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક અને સંપ્રદાયના નીલકંઠએ બનાવટી નીલકંઠ હોવાનું નિવેદન આપ્યું હતું. જેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અને સંતોમાં અને ભક્તોમાં નારાજગી વ્યાપી છે. ત્યારે ફરી મોરારીબાપુએ માફી માગી છે.
જામનગરમાં આજથી મોરારીબાપુની માનસ ક્ષમા કથાનો પ્રારંભ થયો છે. આ કથામાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ પર મોરારિબાપુએ ફરી માફી માગી છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ્ કહીને બાપુએ માફી માગી હતી. આ અગાઉ પણ બાપુએ માફી માગી. પરંતુ વિવાદ વધતા મોરારીબાપુએ તેમણે કરેલી વિવાદિત ટિપ્પણી પર ફરી ક્ષમા માગી.
મહત્વનું છે કે, મોરારિબાપુએ નીલકંઠ અને નીલકંઠવર્ણીના મુદ્દે નિવેદન આપ્યુ હતું. જેને લઈને વિવાદ સર્જાયો છે. આથી મોરારિબાપુએ ક્ષમા માગી છે. ત્યારે મોરારીબાપુએ અગાઉ પણ આ નિવેદન અંગે માફી માગી હતી. મોરારીબાપુએ કહ્યું હતું કે, મિચ્છામી દુક્કડમ. નિવેદનથી લાગણી દુભાઈ હોય તો માફી માગુ છું.
BAPSના અક્ષરવત્સલ સ્વામીએ આ નિવેદનને વખોડ્યું હતું
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મોરારી બાપુના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. BAPSના અક્ષરવત્સલ સ્વામીએ મોરાબી બાપુના નિવેદનને વખોડ્યું હતું. તેમણે મોરારી બાપુના નિવેદનથી ભક્તોની લાગણી દુભાઇ હોવાનું કહ્યું હતું. મોરારી બાપુના નિવેદન બાદ સંપ્રદાયમાંથી સતત વિરોધ થઈ રહ્યો છે.
કાજલ ઓઝા વૈધનું મોરારી બાપુને સમર્થન
નિલકંઠવર્ણી વિવાદ મામલે લેખિકા કાજલ ઓઝા વૈધએ મોરારી બાપુનું સમર્થન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, બાપુએ જે નમ્રતાથી માફી માગી એ વાતને વંદન છે, કારણકે એમને મધપૂડા છંછેડવામાં રસ નથી, એને ઉછેરીને એનું મધ સૌને વહેંચવાનો પ્રયાસ કરવામાં રસ છે! વિવાદ ઉશ્કેરવા સહેલા છે શમાવવા અઘરા છે. સામે પડવું સહેલું છે, ક્ષમા માગવાની સહજતા અને સરળતા અઘરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ડરીને કે હારીને નહિ, સજ્જનતાના સ્વભાવે અને કોઈને દુઃખના પહોંચે માટે જે ક્ષમા માંગી શકે એ સાચો સાધુ!!! આક્ષેપ અને વિવાદ એ સાધુત્વ નથી, ક્ષમા અને સહજ સ્વીકાર એ સાચું સાધુત્વ છે!