મોરારી બાપુએ નીલકંઠ અને નીલકંઠવર્ણી પર કરેલા નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. મોરારીબાપુએ નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક અને સંપ્રદાયના નીલકંઠએ બનાવટી નીલકંઠ હોવાનું નિવેદન આપ્યું હતું. આ વિવાદમાં પ્રસિદ્ધ ગુજરાતી લેખિકા કાઝલ ઓઝા વૈદ્યએ મોરારી બાપૂના તરફેણમાં કહ્યું કે જે ધર્મના 'સાધુ' મા કે બહેનને પણ 'સ્ત્રી' કહી ને નકારે એ કેવો નિયમ !?
મોરારી બાપુના નિલકંઠવર્ણી અંગેના નિવેદન બાદ વિવાદ સર્જાતા માફી પણ માંગી હતી. મોરારી બાપુએ કહ્યું હતું કે, મિચ્છામી દુક્કડમ. નિવેદનથી લાગણી દુભાઈ હોય તો માફી માગુ છું. છતા પણ હજુ સ્વામિનારાયણના સાધુ-સંતો અને ભક્તોમાં નારાજગી છે. કેટલાક સાધુ સંતો દ્વારા સ્વામિનારાયણની નામ જોગ માફી માંગવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે કાજલ ઓઝા વૈધનું મોરારિબાપુના સમર્થનમાં આવ્યા છે.
કાજલ ઓઝા વૈધનું મોરારીબાપુને સમર્થન
નિલકંઠવર્ણી વિવાદ મામલે લેખિકા કાજલ ઓઝા વૈધએ મોરારી બાપુનું સમર્થન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, બાપુએ જે નમ્રતાથી માફી માગી એ વાતને વંદન છે, કારણકે એમને મધપૂડા છંછેડવામાં રસ નથી, એને ઉછેરીને એનું મધ સૌને વહેંચવાનો પ્રયાસ કરવામાં રસ છે! વિવાદ ઉશ્કેરવા સહેલા છે શમાવવા અઘરા છે. સામે પડવું સહેલું છે, ક્ષમા માગવાની સહજતા અને સરળતા અઘરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ડરીને કે હારીને નહિ, સજ્જનતાના સ્વભાવે અને કોઈને દુઃખના પહોંચે માટે જે ક્ષમા માંગી શકે એ સાચો સાધુ!!! આક્ષેપ અને વિવાદ એ સાધુત્વ નથી, ક્ષમા અને સહજ સ્વીકાર એ સાચું સાધુત્વ છે!
કાજલ ઓઝાએ સ્વામિનારાયણને એક એવો સવાલ પૂછ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે જે ધર્મના 'સાધુ' મા કે બહેનને પણ 'સ્ત્રી' કહીને નકારે એ કેવો નિયમ? સાથે તેમણે કેટલાક સવાલો કર્યા છે જેમાં તેમણે કહ્યું કે, સ્ત્રીનું મોં પણ ના જોવાનો નિયમ તો સ્વયંના અસ્તિત્વને જ અપમાનિત કરે કે નહીં?