રાજકોટના વીરપુરમાં કથાકાર મોરારીબપુએ રાષ્ટ્રવાદ મુદ્દે પોતાનો મત રજૂ કર્યો. મોરારીબાપુએ કહ્યું, કે રાષ્ટ્રહિત માટે તમામને એક થવું જોઈએ. પરંતુ અમુક લોકોને ફક્ત નિંદા જ કરવી છે. બીજી તરફ બાપુએ અમિત શાહની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરતાં વિવાદ સર્જાયો છે.
પ્રજાસત્તાક દિવસે મોરારી બાપુનુ નિવેદન
રાષ્ટ્રનુ મંગલ થતુ હોય ત્યારે વિરોધ શા માટે ?: મોરારી બાપુ
અમુક લોકોએ ફક્ત નિંદ કરવી છેઃ મોરારી બાપુ
રાષ્ટ્રવાદની વાત કરતાં બાપુએ કહ્યું કે, રાષ્ટ્રનુ મંગલ થતુ હોય ત્યારે વિરોધ શા માટે ? તેમણે કહ્યું, અમુક લોકોએ ફક્ત નિંદ કરવી છે..રાષ્ટ્રહિત માટે બધાએ એક થવુ જોઈએ. સાથે બાપુએ કેટલાક સવાલ પણ ઉઠાવ્યા મોરારી બાપુએ કહ્યું, મારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી, મારે કોઈ વ્હાલા કે દવલા પણ નથી.
70 વર્ષ પછી એક બે કલમ બદલી ન શકાય ?
પરંતું શું બંધારણની મર્યાદામાં સૌના હિત માટે પગલાં ન ઉઠાવાય ? રાષ્ટ્રની અંદર કોઈ ગરબડ કરતું હોત તો પગલાં ન લેવાય ? જે સરકાર કામ કરતી હોય તે બંધારણની મર્યાદામાં પગલાં ન લઈ શકે? રાષ્ટ્રને ટુકડે ટુકડાં કરવા મથતી સંસ્થાઓ સામે પગલાં ન લઈ શકાય ? 70 વર્ષ પછી એક બે કલમ બદલી ન શકાય ?