મુરાદાબાદના ભગતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રક અને પીકઅપ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં લગ્નપ્રસંગે જતા 10 થી વધુ લોકોને કાળ આંબી ગયો હતો.
મુરાદાબાદના ભગતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતની ભયંકર
ટ્રક અને પીકઅપ વચ્ચે ધડાકાભેર અકસ્માત
10 થી વધુ લોકોને કાળ આંબી જતા અરેરાટી
મુરાદાબાદના ભગતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતની ભયંકર ઘટના સામે આવી હતી. જેમાં ટ્રક અને પીકઅપ વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં ટ્રકની ઠોકરે પીકઅપના કુરચેકુરચા ઉડી ગયા હતા. જેમાં સવાર 10 થી વધુ લોકોને કાળ આંબી જતા અરેરાટી મચી જવા પામી છે. સૌપ્રથમ આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા આવવાનું સામે આવ્યું હતું ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા હાલ 10 જેટલા લોકોના મોત ઉપરાંત 15 જેટલા લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે.
ટ્રકની ઠોકરે પીકઅપ પલટી મારી ગયું
મહત્વનું છે કે લગ્ન સમારોહને લઇ અને પરિવાર મામેરાની વિધિમા જઈ રહ્યો હતો આ દરમિયાન અકસ્માત નડ્યો હતો.આથી ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે મુરાદાબાદની જિલ્લા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ટ્રકની ઠોકરે પીકઅપ પલટી મારી ગયું હતું. પરિણામે પીકઅપમાં સવાર દસ લોકો દબાઈ ગયા હતા.
10 જેટલા લોકોના મોત
આ કાળમુખા અકસ્માતમાં એક બાળકી અને બે મહિલા સહિતના 10 જેટલા લોકોના મોત નિપજતા માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. બીજી બાજુ અકસ્માતની ઘટના મામલે સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી. જેને લઈને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાં મૃતદેહોને બહાર કાઢવા ઉપરાંત અકસ્માતે ઘવાયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવા સહિતની વ્યવસ્થા હાથ ધરી હતી. આ ઘટનાને લઈને વાહનચાલકો અને સ્થાનિક એકઠા થતા માર્ગ પર ટોળેટોળાના દ્રશ્યો સર્જાયા હતા.