ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આગ્રા હાઈવે પર ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો છે. અહીં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયો છે.
મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજાર
અકસ્માતમાં 10 લોકોના મોત થયા
10થી 11 લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે
અકસ્માતમાં 10 લોકોના મોત થયા
બસ અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે બસમાં સવાર 10થી 11 લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે. તેમજ ત્યા રાહત કામગીરી ચાલી કહી છે. મુરાદાબાદ શહેરની નજીક 18 કિલોમીટર દૂર થાના કુંદરકી વિસ્તારમાં હુસૈનપુર પુલિયાની આ ઘટના છે.
सुबह क़रीब 8ः10 बजे हादसा हुआ। हादसे में 10 लोगों की मौत हुई है, 10-11 घायलों को अस्पताल भेजा गया है। मुख्यमंत्री ने घायलों के निशुल्क और समुचित इलाज के निर्देश दिए हैं: राकेश कुमार, मुरादाबाद के ज़िलाधिकारी #Moradabadhttps://t.co/89bJzBZxTfpic.twitter.com/Qm5X9KRVjl
મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજાર
બીજી તરફ દુર્ઘટના પર સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલીક ઘટના સ્થળ પર જવાનો નિર્દેશ આપ્યો છે. મદદ પહોંચાડવા અને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજાર સહાયતા રકમ આપવાના નિર્દેશ કર્યા છે. ડીએમ, એસએપી અને સીએમઓ સ્થળ પર પહોંચી રહ્યા છે.