સુરતના હજીરા રોડ પર આવેલા મોરા ગામે મેળામાં એક અકસ્માતની ઘટના બનતા અટકી હતી. મેળામાં મોટું ચકડોળ ખટકાતા 50 લોકો ફસાયા હતા. મોટા ચક્ડોળની બેરિંગ તૂટતા અફરા-તફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 4 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
ફસાયેલા લોકોને નીચે ઉતારવાની કામગીરી શરૂ
હાઇડ્રોલિક સીડી સાથે ફાયરની ટીમ પહોંચી
લાઇટ પ્રોપર ન મળવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી
સુરતના મોરા ગામના આ મેળામાં લોકોને બચાવવા માટે હાઇડ્રોલિક સીડી સાથે ફાયરની ટીમ પહોંચી હતી. હાલ ફાયરની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં સાત જેટલા લોકોને બચાવી લેવાયા છે. જ્યારે અન્ય લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. લાઇટ પ્રોપર ન મળવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ગતવર્ષે કાંકરિયા રાઈડ દુર્ધટના થઇ હતી. ડિસ્કવરી રાઈડ ત્રણ વર્ષથી સત્તાવાર લાઈસન્સ વીના ચાલતી હતી. આ ઘટનામાં 2ના મોત જ્યારે 29 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.