કોરોના વાયરસના લીધે ચીનનું અર્થતંત્ર પડી ભાંગવાના આરે છે. ચીનની સાથે સાથે સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર તેની માઠી અસર જોવા મળી રહી છે. કોરોના વાયરસના લીધે ભારતીય અર્થતંત્રને ઝટકો લાગી શકે છે. રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનો વિકાસદર અંદાજ ઘટાડી દીધો છે.
આગામી નાણાંકીય વર્ષ 2021 માટે આ અંદાજ 6.7 ટકાથી ઘટાડી 5.8 ટકા કરી દેવામાં આવ્યો
કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વના અર્થતંત્રને લાગશે બ્રેક
ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા રવિવારે 1775 થઇ ગઈ છે
રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનો GDP ગ્રોથનો અંદાજ ઘટાડી દીધો છે. મૂડીઝે 6.6 ટકાના અંદાજને ઘટાડીને 5.4 ટકા કરી દીધો છે. જયરે આગામી નાણાંકીય વર્ષ 2021 માટે આ અંદાજ 6.7 ટકાથી ઘટાડી 5.8 ટકા કરી દેવામાં આવ્યો છે.
મૂડીઝે કહ્યું કે નોવેલ કોરોના વાયરસના લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જે મંદી આવી છે તેને કારણે ભારતના વિકાસ દરમાં પણ ઘટાડો જોવા મળશે. વધુમાં કહેવામાં આવ્યું કે હવે ભારતમાં કોઈ સુધારાની આશા ઓછી જ રાખવી જોઈએ.નોંધનીય છે કે ચીનમાં ફાટી નીકળેલા જીવલેણ કોરોના વાયરસની અસર સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર વર્તાઈ રહી છે. ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા રવિવારે 1775 થઇ ગઈ છે.
જોકે મૂડીઝે એમ પણ કહ્યું કે હાલના આંકડાઓને જોતા લાગે છે ભારતીય અર્થતંત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે અને વર્તમાન ત્રિમાસિક ગાળામાં સારું પ્રદર્શન પણ દેખાઈ રહ્યું છે. પરંતુ હવે મૂડીઝને લાગે છે કે સુધારાની ઝડપમાં ઘટાડો આવશે.
આ પહેલાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ ભારતનો GDP ગ્રોથ ઘટાડી દીધો હતો. વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓએ પણ ભારતનો વિકાસ દર ઘટાડ્યો હતો. ભારત સરકાર દ્વારા નાણાંકીય વર્ષ 2020-21 માટે GDP ગ્રોથ 6-6.5 ટકા રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.