કોરોના વાયરસના અસરને પગલે રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ 2020 માટે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને ઘટાડીને 5.3 ટકા કરી દીધું છે. મૂડીઝે ફેબ્રુઆરીના પોતાના ગત અનુમાનની તુલનામાં 10 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો છે. આ પહેલા મૂડીઝે 2020માં ભારતનો જીડીપી ગ્રોથ 5.4 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું હતું.
મૂડીઝે ફેબ્રુઆરીના પોતાના ગત અનુમાનની તુલનામાં 10 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો છે
રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ 2020 માટે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને ઘટાડીને 5.3 ટકા કર્યું
રેટિંગ એજન્સીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આવનારા દિવસોમાં કોરોના વાયરસની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પણ દેખાશે કેમકે આ સંક્રમણના પગલે ઔદ્યોગિક ગતિવિધિઓમાં અવરોધની સ્થિતિ પેદા થઇ છે.
મૂડીઝે પહેલા ભારતનો જીડીપી ગ્રોથ 6.6 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું હતું. પરંતુ હવે આ સતત ઘટતો જઇને 1.3 ટકા સુધી ઘટી ગયો છે. વર્ષ 2018માં દેશનો જીડીપી 7.4 ટકા જ હતો. 2019ની તુલનામાં 2020 અને 2021માં ભારતની અર્થવ્યવસ્થામાં સુધારની આશા દર્શાવાઇ રહી હતી, પરંતુ કોરોના વાયરસની અસરને પગલે મોટો ઝટકો લાગ્યો છે.
મંગળવારે રેટિંગ એજન્સીએ કહ્યું કે કોરોના વાયરસને પગલે ઘરેલૂ ખર્ચમાં ઘટાડો જોવા મળી શકે છે. આ ઉપરાંત એક્સપોર્ટમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. તેનાથી ભારતની અર્થવ્યવસ્થાની ગ્રોથમાં ઘટાડો થવાની આશંકા છે.
આ પહેલા 17 ફેબ્રુઆરીએ મૂડીઝે વિકાસ દરનું અનુમાન 6.6 ટકાથી ઘટાડી અને 5.4 ટકા કરી દીધું હતું. રેટિંગ એજન્સીનું અનુમાન છે કે કોરોના વાયરસના કારણે વિશ્વભરના અર્થતંત્રને અસર પડી છે.