Moody'sએ કહ્યું કે અર્થવ્યવસ્થા અને નાણાં પ્રણાલીમાં મોટા દબાણના કારણે દેશની નાણાંકીય મજબૂતીમાં ઘટાડો આવી શકે છે. તેનાથી શાખ પર દબાણ વધી શકે છે. મૂડીઝે કહ્યું કે તેનું અનુમાન છે કે 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 11.5 ટકાનો ઘટાડો આવશે.
Moody'sએ ભારતીય અર્થવ્યવસ્થાને લઈને કર્યું અનુમાન
ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિ ગંભીર
11. 5 ટકા સુધી અર્થવ્યવસ્થામાં આવશે ઘટાડો
મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતના જીડીપીમાં 11.5 ટકાનો ઘટાડો આવવાનું નવું અનુમાન જાહેર કર્યું છે. તેના પહેલાં મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થામાં 4 ટકાના ઘટાડાનું અનુમાન કર્યું હતું. રેટિંગ એજન્સીએ શુક્રવારે કહ્યું કે ભારતની શાખ નીચલી વૃદ્ધિ, ઉંચા ઉધાર તથા નબળી નાણાંકીય પ્રણાલીથી પ્રભાવિત થઈ રહી છે. કોરોના મહામારીના કારણે આ જોખમ વધી રહ્યું છે.
2021-22માં ભારતીય અર્થવ્યવસ્થા 10.6 ટકાનો વધારો આવી શકે છે
મૂડીઝે કહ્યું કે અર્થવ્યવસ્થા અને નાણાંકીય સ્થિતિમાં વધારે દબાણથી દેશની નાણાંકીય મજબૂતીમાં ઘટાડો આવી શકે છે. તેની શાખ પર દબાણ વધી શકે છે. મૂડીઝે કહ્યું કે તેનું અનુમાન છે કે 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 11.5 ટકાનો ઘટાડો આવશે. મૂડીઝે કહ્યું છે કે નવા નાણાંકીય વર્ષ 2021-22માં ભારતીય અર્થવ્યવસ્થા 10.6 ટકાનો વધારો આપી શકે છે.
આ પહેલાં એક વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો ઘટાડાનું અનુમાન કર્યું છે. રેટિંગ એજન્સીઓ ક્રિસિલ અને ઈન્ડિયા રેટિંગ્સે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ક્રમશઃ 9 ટકા અને 11.8 ટકાના ઘટાડાનું અનુમાન કર્યું છે.