મોદી સરકાર પર વારંવાર વિપક્ષ દ્વારા આક્ષેપ લાગાવવામાં આવે છે કે તેમની નીતિ ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે છે. જે માર્કેટ માટે હેલ્પફુલ નથી હોતી. જોકે સરકારે હંમેશા આ આરોપોને ફગાવી દીધા છે. જોકે એક મીડિયા હાઉસ દ્વારા મોદીની નીતિઓને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે જેનાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શું આંકડા મોદીની ઉદ્યોગપતિ માટેનાં કુંણા વલણની પોલ ખોલી રહ્યાં છે.
સર્વે 19 રાજ્યોનાં 97 સંસદીય ક્ષેત્રોમાં કરવામાં આવ્યો હતો
12, 141 લોકો સાથે વાત કરવામાં આવી હતી
39 ટકા લોકો માને છે કે સરકારની નીતિથી નાના ઉદ્યોગપતિઓને પણ ફાયદો છે
મંદીનું અને મંદ માર્કેટ માટે વિપક્ષ સરકારની નીતિઓને જવાબદાર ગણાવી રહ્યાં છે. ત્યારે એક મીડિયા હાઉસે એક સર્વે કર્યો છે. જેમાં સવાલ પુછવામાં આવ્યા હતા કે શું સરકારની નીતિનો ફાયદો માત્ર મોટા ઉદ્યોગપતિઓને થઈ રહ્યો છે? શું સરકાર નાના ઉદ્યોગપતિઓ પર ધ્યાન નથી આપતી?
સર્વેમાં ચોંકાવનારું પરિણામ આવ્યું
આ સર્વેમાં ચોંકાવનારું પરિણામ મળ્યું છે. 49 ટકા લોકોએ કહ્યું કે હા , ફક્ત મોટા ઉદ્યોગપતિઓને ફાયદો મળી રહ્યો છે. એટલે કે દર બીજી વ્યક્તિ માને છે કે મોદી સરકાર મોટા ઉદ્યોગપતિઓને જ આગળ વધારી રહી છે. જોકે 39 ટકા લોકોનું કહેવું છે કે એવું નથી. નાના ઉદ્યોગપતિઓને પણ સરકારની આર્થિક નીતિથી ફાયદો મળી રહ્યો છે. જ્યારે કે 15 ટકા લોકોએ કોઈ જવાબ નથી આપ્યો અથવા તો કહ્યું છે મને આ વિશે બહું જાણકારી નથી.
19 રાજ્યોમાં કરવામાં આવ્યો હતો સર્વે
આ સર્વેમાં 49 ટકા લોકો માને છે કે 2014માં નેરેન્દ્ર મોદી સરકારનાં આવવાથી ‘ઈઝ ઓફ ડુઈંગ બિજનેસ’માં ઝડપથી સુધારો આવ્યો છે. જ્યારે ઓગસ્ટ 2019માં એવું માનનારા લોકોની સંખ્યા 54 ટકા હતી. આ સર્વે 19 રાજ્યોનાં 97 સંસદીય ક્ષેત્રોમાં કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન 12, 141 લોકો સાથે વાત કરવામાં આવી હતી.
શું લોન સરળતાથી મળે છે
સરકારનો સ્ટાર્ટ અપ પર ખાસ ફોકસ રહ્યું છે. સર્વેમાં આનાથી જોડાયેલો એક સવાલ હતો. સવાલ હતો કે શું પર્સનલ કે બિજનેસ લોન સરળતાથી મળી રહે છે. જેમાં 28 ટકા લોકોએ કહ્યું કે હા. અને 32 લોકોએ કહ્યું ના. જ્યારે 29 ટકા લોકોએ કહ્યું હતું કે હજુ સુધી લોન માટે અપ્લાય નથી કર્યું.