ગુરુવારે એક બાજુ યુપી સીએમ યોગી અને અપના દળના અધ્યશ અનુપ્રિયા પટેલ અમિત શાહને મળ્યાં તો બીજી તરફ ભાજપ અધ્યક્ષ નડ્ડા પ્રધાનમંત્રી મોદીને મળ્યાં
યુપી ચૂંટણી પહેલા દિલ્હીમાં વધી રાજકીય હિલચાલ
યુપી સીએમ યોગી આદિત્યનાથ અમિત શાહને મળ્યાં
અપના દળના નેતા અનુપ્રિયા પટેલ પણ ગૃહમંત્રીને મળ્યાં
યુપીમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી
યુપી કેબિનેટના વિસ્તરણની ચર્ચા
આજના દિવસ ખાસ રહ્યો છે. યુપીની રાજનીતિમાં નવું થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. પહેલા યુપી સીએમ યોગી આદિત્યનાથ દિલ્હી પહોંચીને ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં તો બીજી તરફ તેના થોડા સમય બાદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ પ્રધાનમંત્રીને મળવા પીએમ આવાસમાં પહોંચ્યાં હતા.
એનડીએ સહયોગી અનુપ્રિયા પટેલ અમિત શાહને મળ્યાં
યુપી સીએમ યોગી આદિત્યનાથ બાદ એનડીએની સહયોગી પાર્ટી અપના દળના નેતા અનુપ્રિયા પટેલ પણ ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં હતા.
યુપી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પારો ચડ્યો છે. સરકાર અને સંગઠનમાં ફેરબદલની અટકળોની વચ્ચે ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હી પહોંચીને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. આ મુલાકાતના થોડા સમય બાદ એનડીએની સહયોગી પાર્ટી અપના દળના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ અનુપ્રિયા પટેલ પણ અમિત શાહને મળવા તેમના ઘેર પહોંચ્યાં હતા.
અનુપ્રિયા પટેલ યુપી કેબિનેટમાં વધારે હિસ્સેદારી ઈચ્છે છે
અનુપ્રિયા પટેલ તો પહેલેથી જ કહી ચૂક્યા છે તેમની પાર્ટી યુપી કેબિનેટમાં વધારે મંત્રી પદ ઈચ્છે છે. યુપી કેબિનેટનું તત્કાળ વિસ્તરણ થાય તથા તેમની પાર્ટીના બે નેતાને મંત્રી બનાવવામાં આવે તેવી પણ તેમની માંગ છે. હાલમાં યુપી કેબિનેટમાં તેમની પાર્ટીના ફક્ત એક રાજ્યમંત્રી છે.
ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં સીએમ યોગી
દિલ્હી પહોંચ્યા બાદ યુપી સીએમ યોગી આદિત્યનાથ અમિત શાહને મળવા તેમના ઘેર ગયા હતા. આ મુલાકાત અંગે કહેવાઈ રહ્યું છે કે યોગી આદિત્યનાથે અમિત શાહને કોરોનાને પહોંચી વળવાના ઉપાયો વિશે ચર્ચા કરી પરંતુ રાજકીય વર્તૂળોમાં તો કંઈક બીજી જ ગપસપ ચાલી રહી છે.
સીએમ યોગી આવતીકાલે પ્રધાનમંત્રીને મળશે
અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ સીએમ યોગી દિલ્હીના લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમ આવાસ પર પ્રધાનમંત્રી મોદીને મળશે. તે ઉપરાત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ બેઠક કરવાના છે. પીએમ મોદી અને અમિત શાહ સાથે યોગી એવા સમયે મુલાકાત કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે જ્યારે હું સાંસદ હતો ત્યારે પણ મારી કોઈ મહત્વકાંક્ષા નહોતી અને આજે પણ નથી. હું ભાજપનો એક સૈનિક છું. હકીકતમાં છેલ્લા થોડા દિવસથી યુપીની રાજનીતિમાં થઈ રહેલી હિલચાલ પાછળ યોગી આદિત્યનાથની રાષ્ટ્રીય મહત્વકાંક્ષાને જવાબદાર માનવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય મહત્વકાંક્ષા પર શું બોલ્યા યોગી આદિત્યનાથ
એક ઈન્ટરવ્યુમાં યોગી આદિત્યનાથે જણાવ્યું કે હું તો ભાજપનો એક સામાન્ય સૈનિક છું. જ્યારે સાંસદ હતો ત્યારે પણ મારી કોઈ મહત્વકાંક્ષા નહોતી આજે પણ નથી. હું એક સામાન્ય સૈનિક છું જે ભાજપના વિઝન અને વિકાસ, સુરક્ષા તથા સમૃદ્ધિ માટે પીએમ મોદીની ઝૂંબેશ પર કામ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની છેલ્લા ચાર વર્ષની ઉપલબ્ધિઓ છે, તેનાથી વધારે ખુશી બીજી કઈ હોઈ શકે.
યોગીના નિવેદનનો શું અર્થ
યોગીની રાષ્ટ્રીય મહત્વકાંક્ષાવાળી અટકળોનો ઈન્કાર કરવાના ઘણા કયાસો લગાવાઈ રહ્યાં છે. છેલ્લા ઘણા દિવસથી ભાજપ હાઈકમાન્ડ અને યોગી વચ્ચે જે તકરારની ચર્ચા હતી તેની પર વિરામ મૂકવાની કોશિશ છે. યોગીએ એવું પણ કહ્યું કે હવે અમારુ ધ્યાન આગામી વર્ષે યોજનારી ચૂંટણી પર છે.