પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ગુજરાતમાં અમલીકરણ અને સુપરવિઝન માટે કમિટીની રચના કરવામાં આવશે. મુખ્યસચિવના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરવામાં આવશે. કૃષિ વિભાગના અધિક મુખ્યસચિવ સહિત 10 સભ્યોની સમિતિ રચાશે. જેમાં નાણાં રેવન્યુ અને સહકાર વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.
આ ઉપરાંત ફરિયાદ નિવારણ માટે 5 સભ્યોની અન્ય કમિટીની પણ રચના કરવામાં આવશે. આ યોજના રાજ્યમાં લાગુ કરવા ઠરાવ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 1 ડિસેમ્બર 2018થી યોજનાનો અમલ ગણવામાં આવશે. આ યોજનામાં 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂત પરિવારને માસિક 500 રૂપિયા લેખે વળતર ચુકવવામાં આવશે.
મહત્વનું છે કે આ યોજનામાં બંધારણીય અને રાજકીય હોદ્દો ધરાવનાર સભ્યને લાભ નહીં મળે. એટલે કે વર્તમાન કે પૂર્વ સાંસદ મંત્રી ધારાસભ્ય અને મેયરને આ યોજનાનો લાભ નહીં મળે.
જોકે જિલ્લા પંચાયતના સભ્યો તથા તાલુકા પંચાયતના સભ્યોને આ લાભ મળશે. આ યોજનાનનો લાભ લેવા માટે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેના માટે 1 ફેબ્રુઆરીની સ્થિતિએ લેન્ડ રેકોર્ડ ફ્રીઝ કરવાનો રહેશે.
શું છે યોજના?
કાર્યકારી બજેટમાં PM કિસાન સમ્માન નિધિ યોજનાની થઈ છે જાહેરાત
નાના અને સીમાંત ખેડૂતોને એક નક્કી આવક આપવાનો છે ઉદ્દેશ