આ વર્ષે દેશભરમાં ચોમાસું સામાન્ય રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં સામાન્યથી ઓછું રહે તેવી પણ સંભાવના છે. હવામાન વિભાગનું માનીએ તો આ કેરળમાં 6 જૂન સુધીમાં વરસાદનું આગમન થઈ શકે છે. જોકે ગત વર્ષે કેરળમાં 29 મેએ વરસાદનું આગમન થયું હતું. જેથી તેનું સંકટ ગુજરાત પર પણ તોળાઈ રહ્યું છે.
ગુજરાતમાં પણ 15 જૂન બાદ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના મતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 96 ટકા રહેશે. જ્યારે જૂથી સપ્ટેમ્બર સુધી ચાલનારું દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં 94 ટકા વરસાદ પડવાની શક્યતા છે.જ્યારે મધ્ય ભારતમાં 100 ટકા વરસાદ પડવાની સંભાવના છે.
તો દક્ષિણ ભારતમાં 97 ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ચોમાસાની સિઝન દરમિયાન 91 ટકા વરસાદ પડી શકે છે. જેમાં 8 ટકા ઓછો કે વધારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગનું માનીએ તો જુલાઈમાં 95 ટકા વરસાદ થઈ શકે છે. જ્યારે ઓગસ્ટમાં સારો વરસાદ થવાના સંકેત છે. ઓગસ્ટમાં 99 ટકા વરસાદ થઈ શકે છે.