લોકસભામાં વિપક્ષ જીએસટી અને મોંઘવારીના મુદ્દા પર સતત હોબાળો મચી રહ્યું છે. હોબાળાને જોતા સ્પિકર ઓમ બિરલા નારાજ છે.
સંસદમાં ચાલી રહ્યું છે હાલમાં ચોમાસુ સત્ર
વિપક્ષી સરકારના વિરુદ્ધ મચાવી રહ્યા છે હોબાળો
લોકસભા સ્પિકરે સાંસદોને ટકોર કરી
લોકસભામાં વિપક્ષ જીએસટી અને મોંઘવારીના મુદ્દા પર સતત હોબાળો મચી રહ્યું છે. હોબાળાને જોતા સ્પિકર ઓમ બિરલા નારાજ છે. સ્પિકર બિરલાએ હોબાળો મચાવી રહેલા સાંસદોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સદન ચર્ચા કરવા માટે છે, નારેબાજી માટે નથી, હોબાળો કરી રહેલા સભ્યો સદનની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યા છે. હોબાળો મચાવી રહેલા સભ્યોનું વર્તન સંસદીય પરંપરાઓ માટે યોગ્ય નથી. જનતાએ પોસ્ટરો દેખાડવા અને નારેબાજી કરવા માટે નથી મોકલ્યા. અમૃતકાળમાં જનતા આપણી પાસે ચર્ચા અને સંવાદની આશા રાખે છે. વિષયો પર ચર્ચા માટે પ્રક્રિયા અનુસાર સમય આપવા તૈયાર છું. શૂન્યકાળમાં દરેક વિષય ઉઠાવવાની પરવાનગી આપવા તૈયાર છું, હોબાળો કરવાની મંજૂરી નહીં આપુ, સીટ પર જશો તો મોકો મળશે.
Rahul Gandhi, Congress MPs join joint Oppn protest in Parliament complex over inflation
અહીં ઉલ્લેખનિય છે કે, આજે (20 જૂલાઈએ) સંસદના ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ છે. આજે પણ સંસદના બંને ગૃહમાં વિપક્ષી સાંસદોએ જીએસટી અને મોંઘવારી પર સરકાર વિરુદ્ધ હોબાળો મચાવ્યો હતો. દૂધ-દહીં અને સિલેન્ડરના કટઆઉટ સાથે સાંસદ પ્રદર્શન કરી રહ્યા હતા. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, અમે સદન બહાર અને અંદર ભાવ વધારાને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું
Rajya Sabha adjourned till 2 pm amid Opposition ruckus
આપને જણાવી દઈએ કે, બીજા દિવસે પણ સદનમાં વિપક્ષી સાંસદોએ મોંઘવારી અને વધતા ભાવ વધારો પર સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સુચારુ રીતે ચાલી શકી નહોતી.