સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર તરફથી બધા જ સાંસદોએ સત્ર શરૂ થયા પહેલા વેક્સિનના બંને ડોઝ લઈ લેવા પડશે. બીજી જાણકારી એ પણ સામે આવી છે કે મોટાભાગના બધા જ સાંસદોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર આ જાણકારી આવી છે
ચોમાસું સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલી શકે
ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમયમાં થઈ શકે ફેરફાર
એક મીડિયા રિપોર્ટ અનુસાર આ જાણકારી આવી છે
સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરું થઈ શકે છે, એક મીડિયા રિપોર્ટ અનુસાર આ જાણકારી મળી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ચોમાસું સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. વધુમાં એ જાણકારી સામે આવી છે કે સંસદીય મામલાની કેબિનેટ કમિટીને સંસદ સત્રને લઈ આ જાણકારી મોકલવામાં આવી છે. એટલે કે સંપૂર્ણ સંભાવના છે કે મોનસૂન સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ વચ્ચે યોજાશે.
ચોમાસું સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલી શકે
સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર તરફથી બધા જ સાંસદોએ સત્ર શરૂ થયા પહેલા વેક્સિનના બંને ડોઝ લઈ લેવા પડશે. બીજી જાણકારી એ પણ સામે આવી છે કે મોટાભાગના બધા જ સાંસદોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. આ સત્રમાં કોઈ રજા રહેશે કે નહીં તેની સંપૂર્ણ જાણકારી હજી સામે આવી નથી. સરકાર કોરોનાના બધા જ પ્રોટોકોલને લઈ કોઈ પણ પ્રકારની બેદરકારી રાખશે નહીં. સાથે જ કોરોનાની ત્રીજી લહેરની પણ વાતો થઈ રહી છે, એવામાં સરકાર નથી ઇચ્છતી કે આ સત્ર પાછળ ઠેલાય.
કોરોનાને ધ્યાનમાં રાખીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમયમાં થઈ શકે ફેરફાર
સત્રમાં કોરોનાના પ્રોટોકોલનું ખાસ ધ્યાન રખાયું છે. આ સમયે કોઈ રજા રહેશે નહીં. સતત 18 બેઠક યોજાશે. કદાચ કોરોનાના કારણે અલગ અલગ સમય રહેશે. જો ગત વર્ષની વાત કરીએ તો લોકસભાની કાર્યવાહી 14 સપ્ટેમ્બરથી સવારે 9.00થી બપોરે 1.00 સુધી ચાલ્યું. 15મીથી 1 ઓક્ટોબર સુધી આ સમય બપોરે 3.00થી સાંજે 7.00 સુધી લોકસભાની સદન બેઠા અને સાથે રાજ્યસભાની કાર્યવાહી પણ 14 સપ્ટેમ્બર બપોરે 3.00થી 7.00 સુધી ચાલી હતી. 15 સપ્ટેમ્બરથી સવારે 9.00થી 1.00 સુધી કામગીરી ચાલી. લોકસભા અને રાજ્યસભાના ટાઇમિંગ કોરોનાને ધ્યાનમાં રાખીને અલગ અલગ રખાયા હતા.