નવી દિલ્હી: સંસદ મોનસૂન સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. સરકાર તરફથી 4 ધારાસભ્યોને એજન્ડામાં રાખવામાં આવ્યા છે. જેમાં ટ્રિપલ તલાક ભાગેડું આર્થિક અપરાધી અને સ્ટેટ બેંક નિરસન જેવા ઘણા મહત્વના બીલ સામેલ છે. મોનસૂન સત્ર 10 ઓગસ્ટ સુધી ચાલશે જેમાં કુવ 18 બેઠકો થવાની છે.
પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ ચોમાસુ સંસદ પર નિવેદન આપતા જણાવ્યું કે દરેક વિષય પર ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે. સંસદમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા જરૂરી છે. દેશહિત માટે કેટલાંક બીલ પાસ થવા પણ જરૂરી છે. જેના માટે રાજકીય પક્ષો પાસે અમે સહયોગની આશા રાખીએ છીએ. જેથી હવે આ સત્રમાં એક મીશાલ રજૂ કરીશું.
Many important decisions in nation's interest will be taken up in #MonsoonSession2018 of Parliament. We hope for good suggestions and discussions from all experienced members: PM Modi pic.twitter.com/br2B9OJfaW
સદનની કાર્યવાહી શરૂ થતા પહેલા જ સંસદ પરિસરમાં હંગામો શરૂ થઇ ગયો છે. વાઅએસઆર કોંગ્રેસના સાસંદોએ ગાંધી પ્રતિમાની સામે આંધ્રપ્રદેશની વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગની સાથે પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત આરજેડી સાસંદ જેપી યાદવે લિચિંગના મુદ્દા પર ચર્ચા માટે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ નોટિસ આપી છે.