બિહારમાં વરસાદે માઝા મૂકી છે ત્યારે શનિવારે દેશમાં મૂસળધાર વરસાદે માઝા મૂકી છે. આ સમયે વીજળી પડવાથી 23 લોકોના મોત નીપજ્યા હતા. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. સરકારે મૃતકો માટે વળતરની જાહેરાત પણ કરી છે. આ સાથે જ દિલ્હી અને મુંબઈ સહિત અનેક જગ્યાઓએ વરસાદે માઝા મૂકી છે અને તેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બિહારમાં વીજળી પડતાં 23 લોકોના મોત
બિહારમાં 24 કલાકનું એલર્ટ જાહેર કરાયું
મુંબઈ અને દિલ્હીમાં વરસાદે મૂકી માઝા
24 કલાક માટે જાહેર કરાયું એલર્ટ
આવનારા 24 કલાકમાં રાજ્યોના અનેક જિલ્લામાં વીજળી પડવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વીજળીને લઈને હવામાન વિભાગે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આ પહેલાં પણ શુક્રવારે રાજ્યમાં 5 જિલ્લામાં 8 લોકોના મોત વીજળી પડવાથી થયા હતા.
महाराष्ट्र: मुंबई के कई हिस्सों में आज बारिश हुई। किंग सर्कल एरिया से तस्वीरें। pic.twitter.com/2RlYR59v7R
રાજધાની દિલ્હીમાં ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા રવિવારે બપોર બાદ મેઘરાજાએ અન્ટ્રી કરી હતી. કનોટ પ્લેસ એનસીઆર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટાથી મોસમ સુહાનો બની ગયો છે. વરસાદ વરસતાં તાપમાનનો પારો ગબડતાં દિલ્હીવાસીઓએ ગરમીથી રાહત મેળવી છે.
મુંબઈમાં છેલ્લા 24 કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હિંદમાતા, સાયન, કુર્લા, દાદરના વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે નદી-નાળામાં પાણીની આવક વધી છે. વિલે પાર્લેમાં ઘરોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. વરસાદના કારણે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. રાયગઢ, ઠાણે, નાસિક અને પાલઘરમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.