રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ મનમૂકીને વરસતા ખેલૈયાઓની મજા બગડી ત્યારે Windy વેબસાઇટ દ્વારા આગામી 10 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના વિવિધ પ્રદેશમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેના માટે અરબી સમુદ્રમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેસરને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. તો આ તરફ 10 ઓક્ટોબરના રોજ રાજ્યમાંથી વરસાદ વિદાય લઇ શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
10 ઓક્ટોબરે વરસાદ થવાની આગાહી
છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે વરસાદ
ગુજરાતમાં લીલા દુકાળની સ્થિતિ
રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં 131 ટકા વરસાદ નોંધાયો છે. સરેરાશ 32.63 ઈચ સામે 42.92 ઈંચ વરસાદ નોંધાયો છે. 91 જિલ્લામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો થયો છે. 131 તાલુકાઓમાં 20 થી 40 ઈંચ વચ્ચે વરસાદ વરસ્યો હતો જયારે 5 જીલ્લાના 75% ડેમ ઓવરફલો થઇ ચુક્યા છે. કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાથી ખેડૂતોએ માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે.
વિરામ બાદ મેઘરાજાનું સૌરાષ્ટ્રમાં ફરી આગમન
રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું કેટલાંક જિલ્લાઓમાં આગમન જોવા મળ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક શહેરમાં વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબકેલો જોવા મળ્યો હતો.
રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિરામ બાદ ફરી મેઘમહેર
છેલ્લા કેટલાંક દિવસના વિરામ બાદ નવરાત્રિ દરમિયાન વરસાદ પડતાં ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી. ગોંડલ તાલુકાના કેટલાંક વિસ્તારમાં વરસાદ પડેલો જોવા મળ્યો. જ્યારે મોડી રાતે જસદણ-વિંછીયામાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં વિજળીના કડાકા સાથે વિંછીયાના રેવાણિયા, દડલી, ચિરોડા, ભાદરમાં પાણી ભરાયેલા જોવા મળ્યાં હતા. જ્યારે મોટી લાખાવાડ, અજમેર-ઢેઢૂકામાં પણ વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
પાછોતરા વરસાદે ગુજરાતને ઘમરોળ્યુ
મેઘરાજાએ આ વખતે જાણે જતા જતા ગુજરાતને ઘમરોળવાનું નક્કી કર્યુ હતુ તેમ સૌરાષ્ટ્રને અને ઉત્તર ગુજરાતને છેલ્લે છેલ્લે ભારે વરસાદને કારણે ઘણુ નુકસાન વેઠવુ પડ્યુ છે. ખાસ કરીને ઉભો પાક પાણીને કારણે કોહવાઈ ગયો છે. તો નદી નાળા છલકાવાને કારણે છેલ આવવાના બનાવો પણ બન્યા છે.
ચોમાસામાં ખેડૂતોને ભારે વરસાદને કારણે વેઠવાનો વારો આવ્યો
ખેડૂતોએ વાવણી કરી દીધી હતી વધુ વરસાદે તેને નિષ્ફળ બનાવી છે. માંડવી(મગફળી)નો પાક તો સદ્તર નિષ્ફળ નીવડવાની શક્યતાઓ છે. તો કપાસ અને ઉભો એરંડોનો પણ વધુ વરસાદ વેરી બન્યો હતો. ચોમાસુ પાકને ભારે નુકસાનથી ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ છે.
શું કહે છે હવામાન વિભાગ
રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી થોડા દિવસના વિરામ બાદ કેટલાંક જિલ્લાોમાં હળવા વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. આમ રાજ્યમાંથી ચોમાસાએ હજી સુધી વિદાય લીધી નથી. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ 10 ઓક્ટોબર બાદ રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી સંભાવના છે. આમ હજુ પણ બે દિવસ સુધી કેટલીક જગ્યાો પર છુટોછવાયા વરસાદની શક્યતા છે.