કાળઝાળ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે વરસાદના આગમન અંગને સમાચાર આવતા લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું, હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ મુજબ આગામી 48 કલાકમાં કેરળમાં ચોમાસું દસ્તક આપી શકે છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડીના દક્ષિણ વિસ્તારોમાંથી આવતા પવનો ચોમાસાને આગળ વધારવામાં મદદ કરી રહ્યાં છે.
48 કલાકમાં કેરળ પહોંચશે ચોમાસુ
જો આ પ્રકારની સ્થિતિ યથાવત રહે તો આગામી 48 કલાકમાં કેરળના દરીયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. કેરળ બાદ ગોવામાં 12મી જૂનના રોજ ચોમાસું બેસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
દિલ્હીમાં ચોમાસુ જૂનના અંતમાં
મોસમ અંગેનું પૂર્વાનુંમાન લગાવતી સંસ્થા સ્કાઇમેટના હવામાન વિજ્ઞાની સમર ચૌધરીના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકની અંદર કેરળમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે. તેમના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ચોમાસુ મધ્યમ રહેની સંભાવના છે. દિલ્હી અને આસપાસના ક્ષેત્રોમાં ચોમાસુ જૂનના અંતમાં પહોંચશે, જો કે, તેમાં 10-15 દિવસો મોડું થવાની સંભાવના છે.
Samar Chaudhary, Skymet: Monsoon is expected to make a fall in Kerala within next 48 hours. This year monsoon will be weak. The normal dates of monsoon for Delhi & its adjoining regions is almost the last week of June but it may be delayed by 10-15 days. https://t.co/O3iB6tr6Cj
ઓછા વરસાદની આશંકા
સમર ચૌધરીના કહ્યા મુજબ છેલ્લા 55 વર્ષમાં બીજી વખત દુકાળ જેવું વર્ષ રહેશે. પ્રી-મોનસૂન માટે સામાન્ય રીતે વરસાદ 131.5 મિમી જો કે, નોંધાયેલ વરસાદ 99 મીમી છે. આ સ્થિતિમાં અલનીનોનો પ્રભાવ જવાબદાર માની શકાય.
ગુજરાતમાં ચોમાસુ મોડું. ?
એક તરફ રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ વરસાદ પણ પાછો ખેંચાઈ રહ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો હજુ પણ આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ જ સંભાવના બનતી નથી દેખાઈ રહી. આગામી 4 દિવસ સુધી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે.
જયંત સરકારે જણાવ્યું કે સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન પછી ચોમાસાની શરૂઆત થતી હોય છે. પણ આ વર્ષે ચોમાસું થોડું મોડું શરૂ થશે. હવામાન વિભાગનું માનીએ તો કેરળમાં ચોમાસાના આગમનની તૈયારીઓ થઈ રહી છે. તો ગુજરાત વાસીઓને 5 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
20 તારીખ બાદ ચોમાસાની શક્યતા
તો ગુજરાતમાં 20 જૂન બાદ વરસાદ થવાની શક્યતા છે. ચોમાસુ પાછુ ઠેલાવવાની શક્યતાઓને પગલે ખેડૂતોમાં પણ નિરાશા છવાઈ ગઈ છે. પાકની વાવણી કરી લીધી છતાં વરસાદન થતાં ખેડૂતો ચિંતાજનક સ્થિતિમાં મુકાયા છે. કપાસ સાથે અન્ય પાકનું પણ ખેડૂતોએ વાવેતર કરી દીધું છે. તો સરકારે પણ સિંચાઈ માટે પાણી આપવાની પહેલાથી જ મનાઈ ફરમાવી દીધી છે. તો કુદરત અને સરકાર બન્ને તરફથી ખેડૂતોને નિરાશાનો સામનો કરવાનો વારો આવ્યો છે.