હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આગામી 24 કલાક ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે, આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સામાન્ય ગતિથી આગળ વધતું ચોમાસું 22થી 26 મે સુધીમાં આંદામાન-નિકોબાર ટાપુને પાર કરીને બંગાળના અખાતમાં આગળ વધવું જોઈતું હતું, પરંતુ આ વખતે 1 જૂન થઈ હોવા છતાં ચોમાસું હજુ તેના સામાન્ય ક્રમ મુજબ આગળ વધ્યું ન હતું અને તેથી ચોમાસું લગભગ એક સપ્તાહ પાછળ ચાલી રહ્યું છે. આંદામાન-નિકોબાર ટાપુ પર 19 મેથી અટકેલા ચોમાસાએ હવે ગતિ પકડી છે અને આજે કેરળ પહોંચી જશે એવું અનુમાન છે. જ્યારે 5 જૂન સુધીમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને પૂર્વોત્તર ભારતમાં સત્તાવાર ચોમાસાનો વરસાદ શરૂ થઈ જશે. 10 જૂન સુધીમાં ચોમાસું મહારાષ્ટ્ર અને તેલંગાણા પહોંચી જશે અને 15 જૂનથી ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બંગાળ, બિહાર અને ઉત્તરપ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ જશે. જ્યારે 20 જૂનથી રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદ શરૂ થઈ જશે. ચોમાસાનો આ તબક્કો 8 જુલાઈ સુધી ચાલુ રહેશે.દરમિયાન, હવામાન વિભાગ દ્વારા ઉત્તર ભારતમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં તેજ આંધી સાથે વરસાદ પડ્યો હતો અને આજે દિલ્હી-એનસીઆરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરીય પાકિસ્તાન પર ચક્રવાતી દબાણ બનેલું છે, જ્યારે પંજાબ પર ચક્રવાતી પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેનાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ નિર્માણ પામી છે.
ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા 2 દિવસ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ફરી એક માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આગામી 24 કલાક ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો ગુજરાતના તાપમાનમાં પણ 1થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. 24 કલાક દરમિયાન રાજ્યમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે એટલે કે 31 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું. સવારના 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે. ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ લેવાઈ હતી, ત્યારે ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ ગુજરાતમાં ધોરણ 12ના પરીક્ષાર્થીઓ પોતાના પરીણામની રાહ જોઈને બેઠા હતા. આ તરફ ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, 31 મેના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. બુધવારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 31, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દિઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે. સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દિઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે. એટલું જ નહિ, આ ગામોને વિકાસ કામો માટેના સ્વભંડોળનો આ પુરસ્કાર રાશિ ભાગ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગામોને શહેરો સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઇનેબલ અને સુવિધાયુકત બનાવવાની નેમ સાથે રૂર્બન-આત્મા ગામનો સુવિધા શહેરનીનો વિચાર આપેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની આ વિચારધારાને આગળ ધપાવતાં સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનાને વધુ વ્યાપક સ્વરૂપે વિસ્તારી છે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલી સ્માર્ટ વિલેજ યોજનામાં આવા સ્માર્ટ વિલેજની પસંદગી માટેના જે ધોરણો નિર્ધારીત કરાયાં છે તેમાં ગામમાં અદ્યતન ટેક્નોલોજીનો વિનિયોગ, ગ્રામીણ જીવનશૈલીને જાળવી રાખીને ગ્રામજનોના ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો કરવો તેમજ ગામના આર્થિક, સામાજીક અને પર્યાવરણીય મૂલ્યના સંવર્ધન સાથે માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય રાખેલો છે. આવા સ્માર્ટ વિલેજ અન્ય ગામો માટે ‘‘ગુડ ગવર્નન્સ’’ના મોડેલ ગામ અને ટુરિઝમ સ્થળ તરીકે વિકસે તથા એક્શન લેબોરેટરી તરીકે કાર્ય કરે તેવો હેતુ પણ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16 જિલ્લાની જે 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરી છે તેમાં આવા સ્માર્ટ વિલેજ પસંદગી માટેના ધોરણોમાં ગામ રોડથી જોડાયેલું હોય, રોડથી તદ્દન નજીકમાં હોય, ગામ શક્ય હોય ત્યાં સુધી સ્ટેટ હાઇવે પર હોય, પ્રાથમિક સુવિધા તરીકે પાકા રસ્તા અને ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ તેમજ સંપૂર્ણ સફાઇ થતી હોય અને ગામની વસ્તી 2000 થી 6000 સુધીની હોય તે માપદંડો ધ્યાને લેવામાં આવેલા છે.
ગુજરાત સ્થાપના દિવસના મહિનામા એટલે કે મે મહિનામા ગુજરાતમાં 19 અંગદાન હોવાનું સામે આવ્યું છે. આ અંગદાન થકી 58 લોકોને નવજીવન મળ્યું હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી છે. ગુજરાતમાં આ મે મહિનામાં કુલ 19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58 અંગોનું સફળતાપુર્વક જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. કોઇપણ એક મહિનામાં રાજ્યભરમાં થયેલા આ અંગદાનની પ્રવૃતિ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે તેમ મંત્રી પટેલે ઉમેર્યું હતુ. અંગદાન જાગૃતિ માટે સરકાર અને સામાજિક સંસ્થા દ્વારા અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. જેના ભાગરુપે લોકોમાં પણ જબરી જાગૃતી જોવા મળી રહી છે. એક મહિનામાં મળેલા 58 અંગોમાં કિડની 34, લીવર – 18, હ્રદય – 3, ફેફસાની અને હાથની એક-એક જોડ, અને નાના આંતરડાનો સમાવેશ થાય છે.
સૂરજ ભૂવાએ કરેલી ધારાની હત્યા મામલે મૃતકના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પોલીસે ધારાને શોધવા માટે અમારી કોઇ મદદ નથી કરી અને ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પોલીસની ટીમ એક્ટિવ થઇ હતી, તેવો મૃતકના ભાઇનો આરોપ છે. મૃતકના ભાઇએ કહ્યું કે, સૂરજ ભૂવો દર મંગળવારે ધારાને મઢ પર બોલાવતો હતો. સુરજ ભુવો અને તેનું ગૃપ અસામાજિક પ્રવૃતિ કરી રહ્યા છે અને યોગ્ય રીતે પોલીસ તપાસ થાય તો હજુ અનેક ખુલાસા સામે આવશે. મૃતકના ભાઇએ આક્ષેપ કરતા કહ્યું કે એક વર્ષ પહેલા સુરત ભુવાએ ધારાની હત્યા કરી હતી અને તેને ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી.
રાજ્યમાં અવાર નવાર પ્રેમી યુગલને તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થતો હોય છે. ત્યારે આવો જ એક વીડિયો દાહોદનાં ફતેપુરાનો થવા પામ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા પ્રેમી સાથે ભાગી ગયેલ પરણીતા ગામમાં પરત આવી હોવાની જાણ થતા ગ્રામજનો પ્રેમી પંખીડાને તાલીબાની સજા આપી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગ્રામજનો દ્વારા પ્રેમી સાથે ભાગી ગયેલ પરણીતા ગામમાં પરત આવતા યુવતિને બેરહેમીથી ઢસડી રહ્યા છે. જેમાં પરણીતાની સાડી તેનાં પ્રેમિનાં માથે બંધાવે છે. ત્યારે આ વીડિયો વાયરલ થતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે પોલીસે વીડિયોનાં આધારે ચાર શખ્શોની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાનાં મારગાળામાં એક પરણીતા તેનાં પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારે થોડા દિવસ બાદ મહિલા ગામમાં પરત ફરતા ગ્રામજનો દ્વારા મહિલાને તાલિબાની સજા આપી હતી. જેમાં પરણીતાનો પતિ તેમજ અન્ય ટોળાએ પરણીતાને જમીન પર ઢસડી હતી. તેમજ મહિલાએ પહેરેલી સાડી કાઢી નાંખી તેનાં પતિના માથે બાંધી દઈ મહિલાને માર મારવામાં આવ્યો હતો. ત્યારે આ વીડિયો વાયરલ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો હતો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 31, 2023
રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક મોટી જાહેરાત કરી છે. રાજસ્થાનના લોકોને રાહત આપતા સીએમ ગેહલોતે વીજળીના બિલમાં રાહત આપી છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે વીજ ગ્રાહકોને પ્રથમ 100 યુનિટ સુધી મફત વીજળી મળશે.સીએમ ગેહલોતે કહ્યું કે મોંઘવારી રાહત શિબિરોનું નિરીક્ષણ કર્યા પછી અને લોકો સાથે વાત કર્યા પછી, એવો પ્રતિસાદ મળ્યો કે વીજળીના બિલમાં સ્લેબ મુજબની મુક્તિમાં થોડો ફેરફાર થવો જોઈએ. મે મહિનાના વીજળીના બિલમાં ફ્યુઅલ સરચાર્જને લઈને પણ જનતા પાસેથી પ્રતિસાદ મળ્યો હતો, જેના આધારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.સીએમ ગેહલોતે જાહેરાત કરી છે કે દર મહિને 100 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરનારાઓનું વીજળીનું બિલ શૂન્ય હશે. તેઓએ અગાઉથી કોઈ બિલ ભરવાનું રહેશે નહીં. જે પરિવારો દર મહિને 100 યુનિટથી વધુ વપરાશ કરે છે તેમને પ્રથમ 100 યુનિટ વીજળી વિનામૂલ્યે આપવામાં આવશે, એટલે કે, બિલ ગમે તેટલું આવે, તેમણે પ્રથમ 100 યુનિટ માટે કોઈ વીજળીનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
महंगाई राहत शिविरों के अवलोकन व जनता से बात करने पर फीडबैक आया कि बिजली बिलों में मिलने वाली स्लैबवार छूट में थोड़ा बदलाव किया जाए.
- मई महीने में बिजली बिलों में आए फ्यूल सरचार्ज को लेकर भी जनता से फीडबैक मिला जिसके आधार पर बड़ा फैसला किया है.
-
- 100 यूनिट प्रतिमाह तक बिजली… pic.twitter.com/z27tJRuyaf
છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં ચાલી રહેલા કુસ્તીબાજોના આંદોલનને હવે નવો વણાક આવ્યો છે. ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ ભાજપના સાંસદ વ્રજભુષણ શરણ સિંહ વિરુદ્ધ ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુરે નિવેદન આપતાં મામલો વધુ ગરમાયો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નિવેદન આપતાં જણાવ્યું કે ખેલાડીઓએ કોઇ એવું પગલું ન ઉઠાવવું જોઇએ જેનાથી અન્ય ખેલાડીઓને નુકસાન થાય. ખેલાડીઓની જે માગણી છે તેના પર એક કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે, આ કમીટી મહાસંઘનું કામ સંભાળે છે. રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ખેલાડીઓને દિલ્હી પોલીસ જે તપાસ કરી રહી છે. તેના રિપોર્ટની રાહ જોવી જોઇએ. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એવું કોઇ પગલું ન ભરવું જોઇએ જેનાથી રમત જગત અને ખેલાડીઓ પ્રભાવિત થાય. અનુરાગ ઠાકુરે પોતાના નિવેદનને આગળ વધારતા જણાવ્યું કે આપણા દેશમાં સ્પોર્ટ્સ ક્ષેત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે.
Wrestlers should wait for Delhi Police to conclude investigation: Anurag Thakur
પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓ છતાં ભારતીય અર્થવ્યવસ્થાએ ગત નાણાકીય વર્ષ 2022-23માં શાનદાર પ્રદર્શન કરતાં જીડીપી 7.2 ટકા રહ્યો હતો. જોકે નાણાકીય વર્ષ 2023માં તે ઘટીને 6.1 ટકા થઈ ગયો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ)એ બુધવારે સાંજે જીડીપી ગ્રોથ રેટના સત્તાવાર આંકડા જાહેર કર્યાં હતા. નાણાકીય વર્ષ 2022-23ના છેલ્લા કે ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ પાછલા ક્વાર્ટર કરતા વધારે રહ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2023માં ભારતનો જીડીપી ગ્રોથ 6.1 ટકા રહ્યો છે. અર્થવ્યવસ્થાના મોરચે સરકાર માટે આ સારા સમાચાર છે. જીડીપીના જે આંકડા સામે આવ્યા છે તે વિશ્લેષકોની આગાહી કરતા સારા રહ્યા છે. ગત સપ્તાહે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે પણ જીડીપી ગ્રોથ અંગે એક અંદાજ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7 ટકાથી વધારે નોંધાય તો આપણને જરાય આશ્ચર્ય ન થવું જોઈએ. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા અનુસાર ગત નાણાકીય વર્ષનો જીડીપી ગ્રોથ રેટ અનુમાનથી વધુ નોંધાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.
India's GDP grows by 6.1 pc in January-March quarter, 7.2 pc in 2022-23
વારાણસીના જ્ઞાનવાપી વિવાદ સાથે જોડાયેલા શૃંગાર ગૌરી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. શૃંગાર ગૌરીની નિયમિત પૂજા વિરૃદ્ધની અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિની અરજી ફગાવતા હાઈકોર્ટે શૃંગાર ગૌરીની નિયમિત પૂજાને યથાવત રાખી છે. એટલે કે તેની પૂજા થતી રહેશે. હાઈકોર્ટે વારાણસી જિલ્લા કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. રાખી સિંહ અને અન્ય 9 લોકોએ વારાણસી કોર્ટમાં શૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગ સાથે સિવિલ દાવો દાખલ કર્યો હતો. હિન્દુ પક્ષે જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત શૃંગાર ગૌરી સહિત અન્ય ધાર્મિક સ્થળોએ નિયમિત પૂજા કરવાની પરવાનગી માગી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર જિલ્લા કોર્ટે નક્કી કરવાનું હતું કે આ કેસ સુનાવણી યોગ્ય છે કે નહીં. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે કોર્ટમાં આ કેસ અયોગ્ય હોવાની દલીલ કરીને કેસને ફગાવી દેવાની માગણી કરી હતી. કોર્ટે મુસ્લિમ પક્ષની દલીલને ફગાવી દીધી છે અને પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આ મામલાની સુનાવણી સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર 07 નિયમ 11 હેઠળ થઈ શકે છે, જેના માટે 22 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.
Allahabad High Court dismisses the Muslim side's plea challenging maintainability of five Hindu women worshippers' suit filed in Varanasi Court seeking the right to worship inside Gyanvapi mosque in Varanasi pic.twitter.com/TJUAXBElY5
સહકાર અને સહકારિતા સેક્ટર માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા દુનિયાની સૌથી મોટી યોજનાને મંજૂરી આપી છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં સહકારી ક્ષેત્રમાં અનાજ સંગ્રહ ક્ષમતા વધારવા માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, આજની કેબિનેટ બેઠકમાં સહકારી ક્ષેત્રમાં દુનિયાની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ સ્કીમની મંજૂરીને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અનુરાગ ઠાકુરે કહ્યું કે અત્યાર સુધી કુલ સંગ્રહ ક્ષમતા 1450 લાખ ટન છે અને હવે સહકારી ક્ષેત્રમાં 700 લાખ ટન સંગ્રહ ક્ષમતા શરૂ થશે. તેમણે કહ્યું કે સરકાર 1 લાખ કરોડના ખર્ચે વિશ્વની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ સ્કીમ શરૂ કરશે.
The world's largest food storage scheme has been approved in the co-operative sector today. This scheme will be implemented at the cost of Rs 1 lakh crore. Under this scheme, a godown of a capacity of 2000 tonnes will be constructed in every block. An inter-ministerial committee… pic.twitter.com/wGnvbzyct1