હોળીની જ્વાળાઓને આધારે હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કેટલીક ચોંકાવનારી આગાહી કરી છે.
ચોમાસાને લઇને અંબાલાલની આગાહી
હોળીની જ્વાળાના આધારે આગાહી
'2020 કરતા વરસાદ ઓછો રહેશે'
આગામી ચોમાસાને લઇને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. હોળીની જ્વાળાના આધારે આગામી ચોમાસાની આગાહી કરવામાં આવી રહી છે.
શું કહ્યુ અંબાલાલે?
અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, માર્ચની કાળઝાળ ગરમી બાદ એપ્રિલમાં લોકોએ તૈયાર રહેવું પડશે કારણ કે, એપ્રિલ મહિનામાં કરા પડશે. આમતો જૂન મહિનો વરસાદનો કહેવા પણ આ વખતે વરસાદની ગતિવીધીઓ વહેલી રહેશે પરિણામે મે મહિનામાં જ વરસાદની સંભાવનાઓ રહેલી છે.
2020 કરતા વરસાદ ઓછો રહેશે
અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, ગત વર્ષ 2020 કરતા 2021માં વરસાદ ઓછો આવશે. એટલું જ નહીં પરંતુ ઉ.ગુજરાતમાં વરસાદની અનિયમિતતા રહેશે જ્યારે મધ્ય ગુજરાતમાં 98 ટકા વરસાદની શક્યતાઓ છે. ચોમાસુ સારુ રહેશે, પરંતુ વરસાદની અનિયમિતતા રહેશે. એટલે કે એક ધારો નહીં પડે પણ પડશે ત્યારે ખૂબ પડશે બાકી કોરૂં ધાકોર રહેશે.