આવનારા બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી તોફાની પવન સાથે થશે ધોધમાર વરસાદ. અમદાવાદ અને સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે.
સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી
માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદમાં વરસાદી ઝાપટા રહેશે
રાજ્યમાં આગામી 2 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિકલ સર્ક્યુલેશનની અસરના કારણે વલસાડ, દમણમાં વરસાદ પડી શકે છે. અને સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી છે. જેને લઇ માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચનો કરાયા છે. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા રહેશે.
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. વહેલી સવારથી અમદાવાદમાં ધુમ્મસ છવાયું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ જામજોધપુરમાં 3.5 ઈંચ વરસાદ થયો હતો.