રાજ્યમાં ભારે વરસાદના પગલે દરિયાકાંઠા વિસ્તારમાંથી 20 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. ખંભાળિયા, દ્વારકા, જામનગરમાં જિલ્લામાં સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાઈ છે. SDRFની 11 ટિમો તૈનાત કરવામાં આવી છે, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનુ સ્થળાંતર કરાયું છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી
20 હજાર લોકોનું સ્થળાંતર કરાયું
દરિયાકાંઠા વિસ્તારમાંથી સ્થળાંતર
ખંભાળિયા, દ્વારકા, જામનગરમાં જિલ્લામાંથી સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાઈ છે. મોરબી, પોરબંદર જિલ્લામાં પણ નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર શરૂ કરાયું છે.
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે રાજકોટ જિલ્લાનું સાતવડી ગામ રાત્રિના 12 વાગ્યાથી સંપર્કવિહોણું બન્યું છે. સાતવડી નદી બે કાંઠે વહેતી હોવાથી ગામમાં જવાનો મુખ્ય રસ્તો પણ બ્લોક થઇ ગયો છે. નદી પર પુલની વ્યવસ્થા ન હોવાથી લોકો ગામમાં ફસાઇ ગયા છે. જો કે આ બધી પરિસ્થિતિથી જિલ્લાની અધિકારી અજાણ છે. અહીંના લોકોએ ઓવરબ્રિજ માટે માંગણી કરી છે પરંતુ કોઇ પગલા ન લેવાતા હાલ સાતવડી ગામના મુશ્કેલી વેઠી રહ્યાં છે.
જૂનાગઢમાં અનેક ગામો સંપર્ક વિહોણા
રંગમતી નદીના પાણી લોકોના ઘરોમાં ઘુસ્યા
જામનગરમાં વરસાદ આફતરૂપ બની ગયો છે. સતત વરસાદના કારણે અહીં રંગમતી નદીમાં પાણીની આવક વધતાં તંત્ર દ્રારા નદીનું પાણી છોડાયું છે. રંગમતી નદીનું પાણી જામનગરના મોટા ભાગમાં ફેલાઇ જતાં લોકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. તંત્રએ જાણ કર્યાં વિના જ રંગમતી નદીનું પાણી છોડ્યું હોવાનો લો આક્ષેપ કરી રહયાં છે.
કેશોદ તાલુકામાં ઘેડ પંથકમાં જળબંબાકાર
કેશોદ તાલુકામાં ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ઉપરવાસમાં વધુ વરસાદથી ઘેડ પંથકમાં પાણી ભરાયા છે. પંચાળા, બાલાગામ, બામણાસા ગામોના ખેતરોમાં પાણી ભરાયા છે. પાડોદર, સરોડ, અખોદર ગામોના ખેતરોમાં પણ પાણી ભરાયા છે. હજારો વિઘા જમીનમાં પાકને નુકસાન થવાની શક્યતા છે. ખેતરોમાં દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગરમાં બારેમેઘ ખાંગા થતાં આભ તૂટ્યું હોય તેવી હાલત છે. અહીં હાલ અડધુ જામનગર શહેરમાં પાણી ભરાયા છે. રંગમતી નદીમાં ઓવરફ્લો થતાં શહેરમાં પાણી ઘૂસી ગયા છે. કાલાવડ નાકા વિસ્તારમાં પણ પાણી ઘૂસી જતાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. આ વિસ્તારના 250 જેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા છે. જો કે આટલી ખરાબ સ્થિતિ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ મદદ નથી પહોંચી.
પોરબંદરમાં ભારે વરસાદના કારણે ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે...ઘેડ વિસ્તારના અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાયા છે. ગરેજ, મહિયારી, કાંસાબડ, છત્રાવાના ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાકને નુકસાન થયું છે...ગરેજ ગામના રસ્તા પર પણ પાણી ભરાયા છે. આજે કુતિયાણા તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. કુતિયાણામાં મોસમનો કુલ 24 ઇંચ વરસાદ નોંધાયો છે