જેતપુરના ભાદર-2 ડેમના 11 દરવાજા ખોલાયા છે. નીચાણવાળા વિસ્તારને અલર્ટ કરાયા છે. 24 જેટલા ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે.
24 જેટલા ગામોને અલર્ટ કરવામાં આવ્યા
નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા સૂચના
ભાદર નદીના બેઠા પુલ પાણી ફરી વળ્યાં
સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદના પગલે તમામ ડેમો ઓવેરફલોવ થઈ ચૂક્યા છે ત્યારે રાજકોટના જેતપુરનો ભાદર 1 ડેમ અને સૌરાષ્ટ્રનો સિંચાઈનો સૌથી મોટો ડેમ આજે ફરી વખત ઓવેરફલો થયો હતો અને તેના 11 દરવજા 4 ફૂટ ખોલવા માં આવ્યા હતા.
જેના પગલે જેતપુરની ભાદર નદીમાં ઘોડા પુર આવ્યા હતા અને આ પુરના પાણી ને લઈ ને અનેક નાના પુલ અને નાલાઓ પાણીમાં ગરક થઈ ગયા હતા, જેમાં જેતપુર થી દેરડી ગામ જવાનો મુખ્ય પુલ અને રસ્તા ઉપર આ પુરના પાણી ફરી વળતા કલાકોથી દેરડી આવવા-જવાનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જેને લઈ ને અનેક લોકો નદીના બંને કાંઠે પુર ના પાણી ઓસરે તેની રાહ જોવી પડી હતી , ત્યારે લોકો ની માંગણી છે કે સરકાર અહીં તાત્કાલિક ઊંચો પુલ બનાવે જેથી લોકો ને મુશ્કેલી નો સામનો કરવો ન પડે.