નર્મદા ડેમની સપાટી વધતા 23 ગેટ ખોલવામાં આવ્યા છે. જેમાંથી 8 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ત્યારે હાવ નર્મદા નદી પાસેના 12 ગામોને અલર્ટ કરી દેવાયા છે. SRPના 120 જવાનો અને પોલીસના 25 જવાનો સાથે નર્મદા નદી પાસેના ગામોમાં ખડે પગે છે.
નર્મદા નદીમાં પાણીની આવક થતા નદીમાં ઘોડાપૂર
નર્મદા નદી કિનારા પાસેના ઘર અને મંદિરોમાં ભરાયા પાણી
નદી પાસે આવેલા 12 ગામમાં SRPના જવાનો ખડેપગે
નર્મદા નદીમાં પાણી છોડાતા નદી ગાંડીતૂર બની છે. નર્મદા ડેમમાંથી નદીમાં 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના નદી કાંઠાના ઘર અને મંદિરોમાં પાણી ભરાઇ જવાની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે હાલ નર્મદામાં એસઆરપીના જવાનો ખડે પગે છે. ઓમકારેશ્વર ડેમ અને ઇન્દિરાસાગર ડેમમંથી નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવતા. નર્મદા ડેમની સપાટી વધી છે. ત્યારે નર્મદા ડેમની સપાટી વધતા 23 ગેટ ખોલવામાં આવ્યા છે. જેમાંથી 8 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ત્યારે હાવ નર્મદા નદી પાસેના 12 ગામોને અલર્ટ કરી દેવાયા છે. SRPના 120 જવાનો અને પોલીસના 25 જવાનો સાથે નર્મદા નદી પાસેના ગામોમાં ખડે પગે છે.
નર્મદા માંથી 10 લાખ ક્યુસેક નર્મદા મા પાણી ઠલવાતા નર્મદા ગાંડીતૂર બની છે કાંઠાના ઘરો મંદિરોમાં પાણી ભરાયા અને સાથે સ્થળાંતરો ની જરૂર થતા નર્મદા ના SRP ગ્રુપના જવાનો કામે લાગ્યા છે.અને સ્ટેચ્યુ પર CISF ચાર્જ લેતા નર્મદા ડેમ અને સુરક્ષા સાથે નર્મદા ના કાંઠા માં પણ કામ કરી રહ્યા છે.
સરદાર સરોવર નર્મદા બંધ ઉપરવાસમાંથી નર્મદા ડેમ માં 10.15 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમ અને ઈન્દિરાસાગર માંથી છોડવામાં આવ્યું જે પાણી સવારે નર્મદા બંધના સરદાર સરોવર માં આવતા બંધની જળ સપાટી વધતા તંત્ર દ્વારા 23 ગેટ ખોલવાની ફરજ પડી છે.5 મીટર થી 23 ગેટ ખોલી જેમાંથી 8 લાખ 50 હજાર ક્યુસેક પાણી નદી માં છોડાય રહ્યું છે. અને જેને કારણે તંત્ર પણ સજ્જ થયું છે.
SRP ના DYSP ચિરાગ પટેલે જણાવ્યું હતું કે નર્મદા ના 12 ગામો ને નદી માં પ્રવાહ વધવાને કારણે SRPના 120 જવાનો પોલીસ ના 25 સાથે નર્મદા નદી પાસે આવેલ ગામો અને નર્મદા ડેમ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી આવી છે અને ખડે પગે સુરક્ષા કરી રહ્યા છે.