નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગરૂડેશ્વર દત્ત મંદિર પાસેનું વર્ષો જૂનું મહાદેવનું મંદિર જળબંબોળ બન્યુ છે. ફુરજા ચાર રસ્તા વિસ્તારમાં પાણી ઘુસ્યા છે. બહુચરાજી ઓવરા, દાંડિયા બજારમાં પાણી ઘુસ્યા છે. 2000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા, હજુ ઘણા લોકો ફસાયા
નર્મદા નદીમાં ઘોડાપૂર, ગરુડેશ્વર દત્ત મંદિર પાસેનું શિવમંદિર તણાયું
મહાદેવના મંદિરની નર્મદામાં જળસમાધિ
વર્ષો જૂનું શિવમંદિર પાણીના પ્રવાહમાં તણાયું
નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગરૂડેશ્વર દત્ત મંદિર પાસેનું વર્ષો જૂનું મહાદેવનું મંદિર જળબંબોળ બન્યુ છે.
મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદ બાદ નર્મદા ડેમમાં ભારે નીરની આવક થઈ છે.. જેના કારણે નર્મદા નદીમાં પણ મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા નદી બન્ને કાંઠે વહેવા લાગી છે. જેના કારણે નદી કિનારાના ઘાટ અને વિસ્તારો પણ ડુબમાં ગયા છે. ગરુડેશ્વરમાં દત્ત મંદિર પાસે એક શિવ મંદિર પણ નદીના પ્રવાહમાં ધ્વસ્ત થઈ ગયું હતું. નદીનો પ્રવાહ મંદિર સુધી પહોંચતા મંદિર ગણતરીની સેકન્ડમાં નદીમાં સમાઈ ગયું હતું. વર્ષો જૂનું આ શિવજીનું મંદિર નદીના રૌદ્ર સ્વરૂપ સામે ધ્વસ્ત થઈ ગયું હતું..
NDRFને કરાયું સજ્જ
NDRFની મદદથી પૂરથી અસરગ્રસ્ત થનારા બે હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત કરાઈ છે. આ ઉપરાંત ભરૂચ ગોલ્ડન બ્રીજ પાસે નદી કિનારે એક સ્મશાન ગૃહ તૈયાર કરવામાં આવ્યું છે
નદી ભયજનક 24 ફૂટ કરતા 8 ફૂટ ઉપર વહી રહી
નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાયો છે. ગોલ્ડન બ્રિજ ખાતે નદીની જળસપાટી 32.14 ફૂટે પહોંચી છે. નદી ભયજનક 24 ફૂટ કરતા 8 ફૂટ ઉપર વહી રહી છે. ફુરજા ચાર રસ્તા વિસ્તારમાં પાણી ઘુસ્યા છે. બહુચરાજી ઓવરા, દાંડિયા બજારમાં પાણી ઘુસ્યા છે.
નર્મદા જિલ્લાના 21 ગામને અલર્ટ કરવામાં આવ્યા
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક યથાવત રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી છે. હાલ ડેમની સપાટી 132.38 મીટરે પહોંચી છે. ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના 21 ગામને અલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચ અને વડોદરા જિલ્લાને પણ અલર્ટ કરાયા છે.