ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ભરાવા, રોડ ધોવાઈ જવા, ખેતર, ગામ કે સોસાયટીઓમાં પાણી ફરી વળવા જેવી સ્થિતિ દર ચોમાસે જોવા મળે છે. એટલું જ નહીં પણ આ વરસાદ બાદ રોગચાળા મામલે પણ તંત્ર દર વર્ષે ગળાડૂબ પરિસ્થિતમાં જ જાગે છે. શું ટાઉન પ્લાનીંગમાં મુશ્કેલી છે? કે પછી પ્રિમોન્સુન અને રોગચાળા અંગે જે પ્લાનિંગ થાય છે તેમાં કંઈ પ્રોબ્લેમ છે?
પ્લાનિંગને નામે કરોડોનો ખર્ચ ધોવાઈ જાય છે
વરસાદી પાણીનો નિકાલ અને કચરો ગંદકી મામલે પણ નીષ્ફળ
રોગચાળા મામલે પણ આગ લાગે ત્યારે કુવો ખોદવાની નીતિ
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ભરાવા, રોડ ધોવાઈ જવા, ખેતર, ગામ કે સોસાયટીઓમાં પાણી ફરી વળવા જેવી સ્થિતિ દર ચોમાસે જોવા મળે છે. એટલું જ નહીં પણ આ વરસાદ બાદ રોગચાળા મામલે પણ તંત્ર દર વર્ષે ગળાડૂબ પરિસ્થિતમાં જ જાગે છે. શું ટાઉન પ્લાનીંગમાં મુશ્કેલી છે? કે પછી પ્રિમોન્સુન અને રોગચાળા અંગે જે પ્લાનિંગ થાય છે તેમાં કંઈ પ્રોબ્લેમ છે?
પ્લાનિંગને નામે કરોડોનો ખર્ચ ધોવાઈ જાય છે
ચોમાસું સરકારની આંકડા છુપાવવાની કે વિકાસના સોનેરી સપના બતાવવાની તમામ કોશિશોને ધોઈ નાંખે છે. કારણ કે દર ચોમાસે તંત્રની તૈયારીઓની પોલ ખુલી જાય છે. તંત્ર પાસે કોઈ આગોતરી તૈયારી હોતી જ નથી. માત્ર કાગળ પર કરોડોની ફાળવણીની ફૂલગુલાબી વાતો વરસાદ આવતા જ પાણી પાણી થઈ જાય છે. પહેલા તો ટાઉન પ્લાનિંગને નામે ઝીરો પ્લાનીંગ નજરે પડે છે. કરોડોના બ્રિજ, કોઝવે, રોજ રસ્તા અમુક ઈંચ વરસાદમાં જ તળાવમાં ગરકાવ થઈ જાય છે.
વરસાદી પાણીનો નિકાલ અને કચરો ગંદકી મામલે પણ નીષ્ફળ
ગામ, ખેતર, શહેરોમાં પાણી ફરી વળે છે એ મામલે તંત્ર પાણી નિકાલ મામલે પણ મોડી પડે છે એટલું જ નહીં પરંતુ વરસાદ બાદ જે કચરો કે ગંદકી ફેલાય છે તે મામલે પણ તંત્ર કેટલીય ફરિયાદો બાદ જાગે છે.
રોગચાળા મામલે પણ આગ લાગે ત્યારે કુવો ખોદવાની નીતિ
વરસાદ બાદ રોગચાળા મામલે પણ તંત્ર આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિમાં હશે. ગંદકી બાદ વારો આવે રોગચાળાનો. રોગચાળા મામલે પણ તંત્ર આંકડા તો સિફતથી ઓછા બતાવી દે પણ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ તેમની આ પોલ પણ પકડી પાડે છે. ત્યારે સફાળુ આરોગ્ય ખાતુ જાગશે અને કામની આંકડાકિય માહિતી જે વાસ્તવિકતા સાથે સહેજેય મેચ ન કરતી હોય તે જાહેર કરશે.
ખેડૂતો મામલે પણ સરકારની સ્ફુર્તિમાં અભાવ
ખેતરોમાં પાણી ફરી વળે ત્યાર બાદ ખેડૂતોએ કેટલાય ધરણા અને માંગણીઓ આંદોલનો બાદ તંત્ર જાગશે અને નુકસાનીનો સર્વે કરાવશે. સહાયની વાત તો કદાચ નુકસાનના છ મહિના કે વરસ પછી આવે. પહેલેથી જ તંત્ર કેમ આ વધી બાબતોએ સજ્જ નથી રહેતું?
કયા દસ પ્રશ્નો મામલે તંત્રના હાલ બેહાલ?
દર વર્ષે કેમ વરસાદી સિઝનમાં પાણી ભરાય છે?
શું ટાઉન પ્લાનિંગમાં કંઈ ખામી છે?
તળાવ, નદી નાળા પર બંધ છતાં ખામી?
પ્રિ મોન્સુન પ્લાનિંગનું શું?
વરસાદી પાણીના નિકાલ બાદ કચરના નિકાલનું શું?
વરસાદ બાદ રોગચાળા મામલે પણ તંત્ર મોડુ જ પડશે?
દર સાલ કેમ ગળાડુબ સ્થિતિમાં જ તંત્ર ઉંઘમાંથી ઉઠે છે?
નેશનલ હાઈવે ધોવાઈ જવાનું કારણ શું?
ટોલ ટેક્સ, ફાસ્ટટેગ પ્રોપર વસૂલો છો તો રોડ પર રમખાણ કેમ?